વાંકાનેર તાલુકા પંચાયત ખાતે દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો
મોરબીના પાનેલી રોડે પાનની દુકાનમાંથી નશીલિ શિરપની ૩૦ બોટલો મળી
SHARE
મોરબીના પાનેલી રોડે પાનની દુકાનમાંથી નશીલિ શિરપની ૩૦ બોટલો મળી
મોરબી તાલુકાના રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે જય દ્વારકાધીશ પાન એન્ડ ટી સ્ટોલમાં પોલીસે ચેક કર્યું હતું ત્યારે દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપની બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦ બોટલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી છે
મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે પહોચતા રફાળેશ્વર ગામે રહેતા બાબુભાઇ માધાભાઇ ગમારા જાતે ભરવાડ (૩૨)ની "જય દ્વારકાધીશ” પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે દુકાનમાંથી નશીલી આર્યુવેદીક શીરપની ૩૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૪૫૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને સી.આર.પી.સી કલમ- ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.