મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી રોડે પાનની દુકાનમાંથી નશીલિ શિરપની ૩૦ બોટલો મળી


SHARE







મોરબીના પાનેલી રોડે પાનની દુકાનમાંથી નશીલિ શિરપની ૩૦ બોટલો મળી

મોરબી તાલુકાના રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે જય દ્વારકાધીશ પાન એન્ડ ટી સ્ટોલમાં પોલીસે ચેક કર્યું હતું ત્યારે દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપની બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦ બોટલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી છે

મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે પહોચતા રફાળેશ્વર ગામે રહેતા બાબુભાઇ માધાભાઇ ગમારા જાતે ભરવાડ (૩૨)ની "જય દ્વારકાધીશ પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે દુકાનમાંથી નશીલી આર્યુવેદીક શીરપની ૩૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૪૫૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને સી.આર.પી.સી કલમ- ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.






Latest News