વાંકાનેરમાં પાણીના કનેક્શન માટે લાંચ લેનારા પાણી પુરવઠા વિભાગના બંને કર્મચારીના બે દિવસના રિમાન્ડ
માળીયા (મી)ના ખાખરેચી ગામે નસાની હાલતમાં ઘરે ગળાફાંસો ખાઈ લેતા યુવાન સારવારમાં
SHARE
માળીયા (મી)ના ખાખરેચી ગામે નસાની હાલતમાં ઘરે ગળાફાંસો ખાઈ લેતા યુવાન સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા યુવાને નસાની હાલતમાં પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીના જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં યુવાનને સારવાર આપીને હોસ્પિટલ મારફતે આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ દેગામા (૩૫) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ઘરે કપડાં સૂકવવાની દોરી વડે તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાને પ્રથમ સારવાર માટે મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને વધુમાં હોસ્પિટલેથી મળતી માહિતી પ્રમાણે નશાની હાલતમાં પ્રવીણભાઈ દેગામાએ પોતાના ઘરની અંદર જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા રાજ કરસનભાઈ આકોલીયા (૧૨) નામનો બાળક તેના મિત્ર સાથે રીક્ષામાં હતો ત્યારે રીક્ષા પલટી મારી જતા રાજ તથા તેના મિત્ર બંનેને ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળ વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના મકનસર ગામે રહેતો રણવીરબેની માધુરસિંગ (૨૮) નામનો યુવાન રફાળેશ્વર જીઆઇડીસી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ઇજા થઈ હોવાથી સિવિલ હોસ્પિટલ ખાતે તેને લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે