મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર રોડ ઉપરના ખાડાના લીધે બાઈકમાંથી પડી જતા મહિલા સારવારમાં


SHARE







મોરબીના કંડલા બાયપાસ ઉપર રોડ ઉપરના ખાડાના લીધે બાઈકમાંથી પડી જતા મહિલા સારવારમાં

મોરબી-કંડલા બાયપાસ ઉપર આવેલ સોસાયટી નજીક રોડ ઉપર ખાડાના લીધે બાઇક સ્લીપ મારી ગયું હતું અને તે બનાવમાં બાઇકમાં બેઠલ મહિલાને ઈજા થતાં અત્રે ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ રાફડાની વાડી વિસ્તારમાં રહેતા વર્ષાબેન શામજીભાઈ ચાવડા નામની ૩૫ વર્ષીય મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે વર્ષાબેન ચાવડા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે કંડલા બાઇપાસ ઉપર ધર્મસૃષ્ટિ સોસાયટી નજીક રોડ ઉપરના ખાડાના લીધે બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં તેઓ બાઈક સહિત નીચે પડી જતા ઇજા પામતા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે આ બાબતે હોસ્પિટલ ખાતેથી જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

રાજકોટ ખસેડાયા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા શક્તિનગર વિસ્તારમાં વિજયભાઈની વાડીએ રહેતા પરિવારની રૂચીબેન રાજુભાઈને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઇ ફુલતરીયાએ ઉપરોક્ત બનાવ બાબતે આગળની વધુ તપાસ માટે હળવદ પોલીસમાં જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

ઈજા થતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા સુમિત રાજેન્દ્રપ્રસાદ શાહ નામના ૨૪ વર્ષીય યુવાનને ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડામાં થયેલ મારામારીમાં ઇજા પહોંચી હોય સુમિત શાહને સારવારમાં લઇ જવાયો હતો.

મારામારીમાં ઈજા

મોરબીના લખધીરપુર રોડ નજીક આવેલ મેલડી માતાના મંદિર પાસે રહેતા ચતુરભાઈ બચુભાઈ પાટડીયા નામના ૪૫ વર્ષીય યુવાનને તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે જાણ કરવામાં આવેલ હોય બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ બાબતે આગળની તપાસ શરૂ કરાયેલ છે.






Latest News