મોરબીની ગર્લ્સ સ્કૂલમાં કારકિર્દી લક્ષી શૈક્ષણિક સેમિનાર યોજાયો
મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા પથ સંચલન યોજાયું
SHARE
મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા પથ સંચલન યોજાયું
મોરબીમાં બુધવારે સાંજે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આગામી વિજયાદશમીને ધ્યાનમાં રાખીને પથ સંચાલન યોજાયું હતું અને મોરબીના લખધીરવાસમાં આવેલ આર્યસમાજ મંદિરથી શિસ્તબંધ રીતે પથ સંચલન નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા ત્યારે આરએસએસ સાથે જોડાયેલા આગેવાનો સહિતના લોકો પણ હાજર રહ્યા હતા અને શહેરના રવાપર રોડ અને શનાળા રોડેથી પથ સંચાલન નિકળ્યું ત્યારે પુષ્ટિ વર્ષા પણ કરવામાં આવી હતી