ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામ પાસે ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત


SHARE













મોરબીના ટીંબડી ગામ પાસે ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટિયા પાસે થોડા દિવસો પહેલા વૃદ્ધને પીંડીના ભાગે કોઈ ઝેરી જનાવર કરડી જતા બેભાન હાલતમાં વૃદ્ધને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના સામાકાંઠે આવેલ પીપળી ગામ નજીક રહેતા મહાદેવભાઈ ગોવિંદભાઈ કામળેચા જાતે મરાઠા નામના ૭૦ વર્ષીય વૃદ્ધ થોડા દિવસો પહેલા માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામે હતા ત્યાં તેઓને કોઈ ઝેરી જનાવર કરડી જતા બેભાન હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન બેભાન હાલતમાં જ મહાદેવભાઇ ગોવિંદભાઇ કામળેચા જાતે મરાઠા (૭૦) નામના વૃદ્ધનું મોત નીપજયું હતું. બનાવને પગલે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા મહિલા એએસઆઇ જે.પી.કણસાગરાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જાણવા મળી રહેલ વિગત મુજબ પગની પીંડીના ભાગે કોઈ ઝેરી જનાવર કરડી જવાથી થોડા દિવસો બેભાન હાલતમાં સારવારમાં રહ્યા બાદ મહાદેવભાઇ મરાઠાનુ મોત નીપજ્યું હતું.

યુવતી સારવારમાં

કચ્છના રાપરમાં પાલનપુર રોડ ઉપર આવેલ સરભંગીધાર વિસ્તારમાં રહેતી લીલાબેન ગોવિંદભાઈ કરસનભાઈ જાતે દેવીપુજક નામની ૧૭ વર્ષીય યુવતીએ નદી વિસ્તારમાં આવેલ મેલડીમાતાના મંદિર પાસે ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ માટે રાપર પોલીસને જાણ કરી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલા લેન્ડમાર્ક સિરામિક યુનિટમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી કનુભાઇ મોહનભાઇ ચાવડા નામના ૩૫ વર્ષીય યુવાનને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ જે.પી.કણસાગરાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.








Latest News