ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી જતાં યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી જતાં યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા અને મજુરીકામ કરતા યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તાલુકાના કોયલી ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરીકામ કરતા અને મૂળ છોટાઉદેપુર જિલ્લાના જલોદા ગામના રહેવાસી અક્ષય દિનેશભાઈ નાયક નામના ૨૦ વર્ષીય અપરિણીત યુવાને તા.૩૦ ની મોડી રાત્રીના ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ નાજુક હાલત જણાતા અક્ષયને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે બનાવના પગલે તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ નજીક આવેલા જોન્સનગર વિસ્તારમાં રહેતા રજિયાબેન સોહેલભાઈ કોરડીયા નામની ૨૮ વર્ષીય મહિલા ટંકારાથી પરત મોરબી આવતા હતા ત્યારે લજાઈ નજીક રિક્ષા પલ્ટી જવાના બનેલ બનાવમાં ઇજાગ્રસ્ત થયા હતા જેથી કરીને રજિયાબેન સોહેલભાઈને અહિંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવતા કોંઢ ગામના રહેવાસી ગોબરભાઇ અણદાભાઈ હડીયલ નામના ૭૩ વર્ષીય વૃદ્ધ બાઈકના પાછળના ભાગે બેસીને ખેતરેથી પરત ઘરે જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત ગોબરભાઇ હડીયલને પણ અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા કિરણબેન રમેશભાઈ ઠાકોર નામની ૨૪ વર્ષીય મહિલાને તેના ઘરની પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી ગત મોડી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં કિરણબેન ઠાકોરને અહીંની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા જેને પગલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News