દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે વેલ્ડીંગ કરતા સમયે બાઇક સળગી ગયું


SHARE













મોરબીના શનાળા રોડે વેલ્ડીંગ કરતા સમયે બાઇક સળગી ગયું

મોરબીના શનાળા રોડે સરદાર બાગની સામેના ભાગમાં ઓમ શાંતિ સ્કૂલ તરફ જવાના રસ્તા પાસે રોડ સાઇડમાં મૂકવામાં આવેલ ગેસ વેલ્ડિંગની કેબિન પાસે બાઈકમાં ગેસ વેલ્ડીંગ કરતા હતા ત્યારે કોઈ કારણોસર બાઇકમાં આગ લાગી હતી અને જોત જોતામાં બાઇક આખું સળગી ઉઠ્યું હતું. જેથી કરીને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને બાઈકમાં લાગેલ આગને કાબુમાં લીધી હતી જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં બાઇક બળીને ખાખ થઈ ગયું હતું વધુમાં મળતી માહિતી મુજબ બાઇકમાં ગેસ વેલ્ડીંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આગ લાગી હતી અને આખું બાઇક બળી ગયું છે જો કે, બપોરે ભીડ ન હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ જો શાળા છૂટવાના સમયે આ ઘટના બની હોત તો મોટી દુર્ઘટના થવાની શકયતા હતી






Latest News