ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા વિવિધ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર સેવાનિષ્ઠોને સન્માનિત કરાયા


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા વિવિધ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર સેવાનિષ્ઠોને સન્માનિત કરાયા

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા દર વર્ષની જેમ સમયાંતરે યોજાતાતો "જાગો ગ્રાહક જાગો" સેમિનાર યોજવામાં આવ્યો હતો.સેમિનારમાં આવેલા લોકોને કઇ રીતે છેતરવામાં આવે છે..? તે અંગે માહિતી આપવામાં આવી હતી અને ઠેતરામણીથી કઈ રીતે બચી શકાય તેમજ જો છેતરાયા હોઈએ તો કઈ રીતે ફરિયાદ કરીને વળતર કે દાદ મેળવા શકાય તે અંગેની માહિતી "જાહો ગ્રાહક જાગો" કાર્યક્રમ અનુસંધાને આપવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમ્યાન સેવાનિષ્ઠોના સન્માન પણ કરવામાં આવ્યા હતા.

મોરબી શહેર ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી પોલીસ, બેંક, પોસ્ટ, પુરવઠા વગેરે વિભાગના નિષ્ઠાવાન કર્મચારીઓ, અલગ-અલગ ક્ષેત્રે સેવા કરતા લોકો અને મોરબીનુ ગૌરવ કહી શકાય તેવા લોકો તેમજ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીનું સાલ ઓઢાળીને તેમજ શીલ્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે રાજકોટના પૂર્વ સાંસદ રમાબેન માવાણી અને રામજીભાઈ માવાણી, દિલીપભાઈ અગેચાણીયા (પ્રમુખ બાર એસોસીએશન-મોરબી, ઘનશ્યામસિંહ ઝાલા (પ્રમુખ શ્રી નારાયણ સેવા સંસ્થા-મોરબી શાખા) તેમજ મનીપ્લસ શરાફી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ અને અન્ય મહાનુભવોએ હાજરી આપી હતી.કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ મહેતા, બળવંતભાઇ ભટ્ટ અને રામભાઇ મહેતા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.








Latest News