મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે ખોખરા હનુમાન ધામમાં નવનિર્મિત ભવનનું ઉદ્દઘાટન


SHARE

















મોરબીમાં રવિવરે  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે ખોખરા હનુમાન ધામમાં નવનિર્મિત ભવનનું ઉદ્દઘાટન

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ભરતનગર અને બેલા ગામની વચ્ચે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય, સદગુરૂ સંસ્કૃત મહાવિદ્યાલય તેમજ ગુરૂકુળના નવા ભવનનું તા.૩ ને રવિવારના રોજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે ઉદઘાટન કરાશે.ભરતનગર નજીક આવેલ ખોખરા હનુમાન હરિહરધામમાં કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય, સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરૂકુળનું તા.૩ ને રવિવારના રોજ ઉદ્દઘાટન થશે.ઉદઘાટન સમારોહ બાદ કેશવાનંદ વેદ વિદ્યાલયના ઋષિકુમારો દ્વારા વૈદિક કાર્યક્રમ યોજાશે ત્યાર બાદ સંતોનાં આશીર્વચન તથા મહાનુભવોનું પ્રાસંગિક વક્તવ્ય યોજાનાર છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરાવામાં આવેલ છે.

ઉદઘાટન સમારોહમાં રાજયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તેમજ અતિથિ તરીકે ઇન્દોર ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય હાજર રહેશે.તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા અને વિનોદભાઇ ચાવડા, તાજેતરમાં જ વરણી પામેલા રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન હસુભાઈ પંડ્યા કરશે.




Latest News