મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે ખોખરા હનુમાન ધામમાં નવનિર્મિત ભવનનું ઉદ્દઘાટન


SHARE











મોરબીમાં રવિવરે  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે ખોખરા હનુમાન ધામમાં નવનિર્મિત ભવનનું ઉદ્દઘાટન

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ભરતનગર અને બેલા ગામની વચ્ચે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય, સદગુરૂ સંસ્કૃત મહાવિદ્યાલય તેમજ ગુરૂકુળના નવા ભવનનું તા.૩ ને રવિવારના રોજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે ઉદઘાટન કરાશે.ભરતનગર નજીક આવેલ ખોખરા હનુમાન હરિહરધામમાં કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય, સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરૂકુળનું તા.૩ ને રવિવારના રોજ ઉદ્દઘાટન થશે.ઉદઘાટન સમારોહ બાદ કેશવાનંદ વેદ વિદ્યાલયના ઋષિકુમારો દ્વારા વૈદિક કાર્યક્રમ યોજાશે ત્યાર બાદ સંતોનાં આશીર્વચન તથા મહાનુભવોનું પ્રાસંગિક વક્તવ્ય યોજાનાર છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરાવામાં આવેલ છે.

ઉદઘાટન સમારોહમાં રાજયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તેમજ અતિથિ તરીકે ઇન્દોર ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય હાજર રહેશે.તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા અને વિનોદભાઇ ચાવડા, તાજેતરમાં જ વરણી પામેલા રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન હસુભાઈ પંડ્યા કરશે.






Latest News