ચંદ્રગ્રહણના લીધે મોરબી જિલ્લાના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજા-આરતી બંધ: દર્શન ચાલુ
SHARE
ચંદ્રગ્રહણના લીધે મોરબી જિલ્લાના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજા-આરતી બંધ: દર્શન ચાલુ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રત્ન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં ચંદ્રગ્રહણને ધ્યાને રાખીને તા ૨૮ ના રોજ પૂજા બંધ રહેશે અને સંધ્યા આરતી બંધ રહેશે
વાંકાનેરમાં રત્ન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યુ છે કે, આગામી તા.૨૮ ને શનિવારના રોજ ચંદ્રગ્રહણ છે જેથી સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરના દર્શનનો સમય સવારે ૬:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી રહેશે અને બપોરે ૨:૦૦ વાગ્યાથી મંદિરમાં પૂજા બંધ રહેશે અને સંધ્યા આરતી બંધ રહેશે. અને તા.૨૯ થી રાબેતા મુજબ પુજા અને દર્શન ચાલુ રાખવામા આવશે