મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી 3 જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રવિવારે કાર્યકર્તા શિબિર યોજાશે


SHARE













મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રવિવારે કાર્યકર્તા શિબિર યોજાશે

મોરબી જીલ્લામાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કાલે રવિવારે જીલ્લા શિબિરનું મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિ મંદિર ખાતે કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યૂ છે

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ નિરૂભા બેચુભા ઝાલા, મહામંત્રી જયેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા અને મહાવીરસિંહ લાલુભા ઝાલાએ જણાવ્યુ છે કે, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અનેક વિધ સમાજ ઉપયોગી કામ કરે છે ત્યારે છેલ્લા વર્ષ દરમ્યાન કરાયેલ કામોની સમીક્ષા અને નવા વર્ષના કામોના આયોજન માટે જીલ્લા કક્ષાની કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૩ ને રવિવારે સવારે ૯:૩૦ થી સાંજે ૪:૩૦ કલાક સુધી મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રીમંદિર ખાતે મોરબી જીલ્લા કક્ષાની શિબિર યોજાશે 








Latest News