મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળિયા (મી)ની બોડકી પ્રાથમિક શાળાનાં આચાર્ય વિનુભાઈ રાઠોડનો નિવૃત્તિ સન્માન સમારોહ


SHARE









માળિયા (મી)ની બોડકી પ્રાથમિક શાળાનાં આચાર્ય વિનુભાઈ રાઠોડનો નિવૃત્તિ સન્માન સમારોહ

માળીયા (મી) તાલુકાનાં શ્રી મોટા દહીંસરા તાલુકા શાળા તથા પેટાશાળા દ્વારા બોડકી પ્રાથમિક શાળાનાં આચાર્ય તથા માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિનુભાઈ રાઠોડનો વય નિવૃત્તિ સન્માન સમારોહ નવલખી રોડે આવેલ સનાતન હોટેલ ખાતે ડૉ. શર્મિલાબેન હૂંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો. જેમાં માળિયા  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હૂંબલ, માળિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠનમંત્રી અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઇ હૂંબલ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ તથા મોટા દહીંસરા તાલુકા શાળાના તમામ આચાર્યઓ તથા શિક્ષક ભાઈઓ અને બહેનો સહિતના હાજર રહયા હતા અને અધિકારીઓએ તેમજ પદાધિકારીઓએ વિનુભાઈ રાઠોડને પુષ્પગુચ્છ, શાલ,શ્રીફળ પડો તથા મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યુ હતું અને તેઓના ઉમદા વ્યક્તિત્વ તથા કર્મનિષ્ઠ શિક્ષક તરીકેની કામગીરીને સહુ કોઈએ બિરદાવી હતી આ તકે ડૉ. શર્મિલાબેન હૂંબલ, ઘનશ્યામ ભાઈ દેથરિયા તથા દિનેશભાઇ હૂંબલ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું અને નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી. આ કાર્યક્રમનું સંચાલન માનસેતા કાંતિલાલ દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News