ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળિયા (મી)ની બોડકી પ્રાથમિક શાળાનાં આચાર્ય વિનુભાઈ રાઠોડનો નિવૃત્તિ સન્માન સમારોહ


SHARE













માળિયા (મી)ની બોડકી પ્રાથમિક શાળાનાં આચાર્ય વિનુભાઈ રાઠોડનો નિવૃત્તિ સન્માન સમારોહ

માળીયા (મી) તાલુકાનાં શ્રી મોટા દહીંસરા તાલુકા શાળા તથા પેટાશાળા દ્વારા બોડકી પ્રાથમિક શાળાનાં આચાર્ય તથા માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિનુભાઈ રાઠોડનો વય નિવૃત્તિ સન્માન સમારોહ નવલખી રોડે આવેલ સનાતન હોટેલ ખાતે ડૉ. શર્મિલાબેન હૂંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો. જેમાં માળિયા  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હૂંબલ, માળિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠનમંત્રી અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઇ હૂંબલ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ તથા મોટા દહીંસરા તાલુકા શાળાના તમામ આચાર્યઓ તથા શિક્ષક ભાઈઓ અને બહેનો સહિતના હાજર રહયા હતા અને અધિકારીઓએ તેમજ પદાધિકારીઓએ વિનુભાઈ રાઠોડને પુષ્પગુચ્છ, શાલ,શ્રીફળ પડો તથા મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યુ હતું અને તેઓના ઉમદા વ્યક્તિત્વ તથા કર્મનિષ્ઠ શિક્ષક તરીકેની કામગીરીને સહુ કોઈએ બિરદાવી હતી આ તકે ડૉ. શર્મિલાબેન હૂંબલ, ઘનશ્યામ ભાઈ દેથરિયા તથા દિનેશભાઇ હૂંબલ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું અને નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી. આ કાર્યક્રમનું સંચાલન માનસેતા કાંતિલાલ દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News