મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

માળિયા (મી)ની બોડકી પ્રાથમિક શાળાનાં આચાર્ય વિનુભાઈ રાઠોડનો નિવૃત્તિ સન્માન સમારોહ


SHARE













માળિયા (મી)ની બોડકી પ્રાથમિક શાળાનાં આચાર્ય વિનુભાઈ રાઠોડનો નિવૃત્તિ સન્માન સમારોહ

માળીયા (મી) તાલુકાનાં શ્રી મોટા દહીંસરા તાલુકા શાળા તથા પેટાશાળા દ્વારા બોડકી પ્રાથમિક શાળાનાં આચાર્ય તથા માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિનુભાઈ રાઠોડનો વય નિવૃત્તિ સન્માન સમારોહ નવલખી રોડે આવેલ સનાતન હોટેલ ખાતે ડૉ. શર્મિલાબેન હૂંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો. જેમાં માળિયા  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હૂંબલ, માળિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠનમંત્રી અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઇ હૂંબલ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ તથા મોટા દહીંસરા તાલુકા શાળાના તમામ આચાર્યઓ તથા શિક્ષક ભાઈઓ અને બહેનો સહિતના હાજર રહયા હતા અને અધિકારીઓએ તેમજ પદાધિકારીઓએ વિનુભાઈ રાઠોડને પુષ્પગુચ્છ, શાલ,શ્રીફળ પડો તથા મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યુ હતું અને તેઓના ઉમદા વ્યક્તિત્વ તથા કર્મનિષ્ઠ શિક્ષક તરીકેની કામગીરીને સહુ કોઈએ બિરદાવી હતી આ તકે ડૉ. શર્મિલાબેન હૂંબલ, ઘનશ્યામ ભાઈ દેથરિયા તથા દિનેશભાઇ હૂંબલ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું અને નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી. આ કાર્યક્રમનું સંચાલન માનસેતા કાંતિલાલ દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News