મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજય બાપોદરિયાને અંજુ-નરશી પારિતોષિક એનાયત કરાયો
મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી રવિવારે યોજાશે સરસ્વતી સન્માન સમારોહ
SHARE
મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી રવિવારે યોજાશે સરસ્વતી સન્માન સમારોહ
મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી તા ૫ ના રોજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સન્માન સમારોહમાં મોરબી શહેરમાં રહેતા અને ગુજરાતી તેમજ અંગ્રેજી મધ્યમમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે જેથી મોરબીમાં રહેતા પરિવારના વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનોને કાર્યક્રમમાં આવવા માટે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ ના અધ્યક્ષ તેમજ પ્રમુખ સહિતની ટીમે આમંત્રણ આપેલ છે
મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા અને પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે આગામી તા ૫ ને રવિવારના રોજ મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ તેજસ્વિતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અધ્યક્ષ તરીકે સાંસદ રામભાઇ મોકરિયા, મુખ્ય મહેમાન તરીકે નીલંબરીબેન દવે અને કલેક્ટર જી.ટી. પંડ્યા હાજર રહેશે તે ઉપરાંત અનિલભાઈ મહેતા. ભૂપતભાઈ પંડ્યા, કે.સી. દવે અને એચ.એલ. અજાણી હાજર રહેવાના છે આ કાર્યક્રમ બપોરે ચાર વાગ્યાથી શરૂ થશે કેજીથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધીના અભ્યાસમાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે તેમજ માર્ક શીટ આપેલ હશે તે તમામ વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા, પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદી અને મહામંત્રી અમૂલભાઈ જોશી, કેયુરભાઈ પંડ્યા, મિલેશભાઇ જોશી અને કમલભાઇ દવે સહિતની તેની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે