મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદથી વતનમાં મેળામાં જવાની માતા-પિતાએ ના પડતાં સગીરાએ ના કરવાનું કર્યું


SHARE







હળવદથી વતનમાં મેળામાં જવાની માતા-પિતાએ ના પડતાં સગીરાએ ના કરવાનું કર્યું

હળવદ તાલુકાના રણજીતગઢ ગામ પાસે વાડીમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની દીકરીને શરદપૂનમનો મેળો કરવા માટે થઈને વતનમાં જવું હતું અને માતા-પિતાએ કામ હોવાથી વતનમાં જવાની ના પાડી હતી જેથી કરીને તેને લાગી આવતા તેણે દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેજને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મૃતક દીકરીના પિતાએ હળવદ તાલુકા પોલીસને આ બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂડ એમપીના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં વરૂણભાઇ ગીરીશભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા શંકરભાઈ તડવી જાતે બારીયા કોળી (૪૫) ની ૧૫ વર્ષની દીકરી રેશાબેન શંકરભાઈ તડવીએ મકાનના ધાબામાં લગાવેલ હુકમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક રેસાબેનને સરદપુનમના મેળામાં વતનમાં જવું હતું અને તેના માતા પિતાએ કામ હોવાથી જવાની ના પાડી હતી જેથી કરીને તે સગીરાને મનોમન લાગી આવતા તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એમ. સદાદિયા ચલાવી રહ્યા છે






Latest News