મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે આજે રાતે સત્સંગ-ધૂનનું આયોજન: વાંકાનેરના ગયાત્રી મંદિરે કાલે રંગોળી સ્પર્ધા


SHARE













મોરબીના ઘૂટું ગામે આજે રાતે સત્સંગ-ધૂનનું આયોજન: વાંકાનેરના ગયાત્રી મંદિરે કાલે રંગોળી સ્પર્ધા

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા સ્વ. મગનભાઈ મેઘજીભાઈ સંઘાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે આજે તા. ૪ ને શનિવારે ઘૂટુંના જનકનગર ખાતે રાત્રે ૯ થી ૧૧ કલાક સુધી સત્સંગ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે અને અંધ અપંગ, બીમાર, વૃદ્ધ અને નિરાધાર ગૌવંશની સેવા કરતી સંસ્થા ૐ ગુરુદત્ત ગૌશાળા ટ્રસ્ટ, મોટી વાવડી નિશુલ્ક કીર્તન ધૂન મંડળ સુરત દ્વારા સત્સંગ ધૂનની જમાવટ કરવામાં આવશે આ સત્સંગ ધૂનનું આયોજન  રણછોડભાઈ મગનભાઈ સંઘાણી, વસંતભાઈ મગનભાઈ સંઘાણી, અમૃતભાઈ મગનભાઈ સંઘાણી, કેવલભાઈ રણછોડભાઈ સંઘાણી, દિવ્યશેભાઈ રણછોડભાઈ સંઘાણી, કુલદીપ અમૃતભાઈ સંઘાણી અને જીલ વસંતભાઈ સંઘાણી તેમજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે

વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન

આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે વાંકાનેરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને કાલે તા. ૫/૧૧ ને રવિવારના રોજ બપોરે બે થી પાંચના સમયગાળામાં આ રંગોળી સ્પર્ધા યોજાશે આ સ્પર્ધામાં કોઈપણ ભાઈઓ બહેનો ભાગ લઈ શકે છે અને સ્પર્ધા ૫  થી ૧૫ વર્ષ ના બાળકો અને ૧૫ વર્ષથી મોટી ઉપરના લોકો માટે બે વિભાગમાં સ્પર્ધા રાખવામા આવી છે આ રંગોળી સ્પર્ધામાં વધારેમાં વધારે લોકોએ ભાગ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે અને આ સ્પર્ધા માટે ગાયત્રી પરિવાર વાંકાનેરના સભ્ય રાહુલ જોબનપુત્રાને ૯૨૬૫૦ ૬૬૦૯૬ ઉપર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે તથા વિજેતાને ઇનામ આપવામાં આવશે તેવું આયોજકો જણાવ્યુ છ






Latest News