મોરબીના ઘૂટું ગામે આજે રાતે સત્સંગ-ધૂનનું આયોજન: વાંકાનેરના ગયાત્રી મંદિરે કાલે રંગોળી સ્પર્ધા
મોરબી જિલ્લા કલેક્ટરને ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું
SHARE
મોરબી જિલ્લા કલેક્ટરને ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું
ટંકારા તાલુકાના ટોળ ગામના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના કનુબેન બાબરીયા (૩૫) ને પેટમાં દુખાવો ઉપડતા વાંકાનેર શહેરમાં આવેલ ખાનગી શ્રદ્ધા હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓના પરિવારજનોની જાણ બહાર શ્રધ્ધા હોસ્પિટલના ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીનાં કારણે કનુબેનનું મૃત્યુ નીપજયું હતું અને ભુલ છુપાવા માટે પોતાના સ્ટાફ તથા એમ્બ્યુલન્સ દ્વારા ઓક્સિજન પર મહિલાને રાખીને પરિવારજનોને જણાવ્યું હતું કે આપના દર્દીની હાલત ગંભીર છે તેને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડશે જો કે, રાજકોટના ડોક્ટરે જણાવ્યુ હતુ કે, મહિલાનું મૃત્યુ કલાકો પહેલાં થઇ ગયું છે આ બનાવને લઈને મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વાંકાનેર શ્રદ્ધા હોસ્પિટલના તબીબની બેદરકારીથી ટોળ ગામના વતની ચુવાળીયા કોળી ઠાકોર સમાજના કનુબેન બાબરીયાનું મૃત્યુ થયેલ છે જેથી તેના પરિવારને ન્યાય મળે તે માટે મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ ટીમ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ પ્રમુખ હેમંતભાઈ સુરેલા, સમાજ આગેવાન જગદીશભાઈ બાંભણિયા, સુરેશભાઈ શિહોરીયા, મયુરભાઈ બાબરીયા, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર પ્રમુખ યોગેશભાઈ ઉઘરેજા, મોરબી તાલુકા ઉપપ્રમુખ વિજયભાઈ દેગામા, મેરૂભાઈ ચાવડા, વિપુલભાઈ ઉપસરિયા, પરસોતમભાઈ ઠાકોર અને સમાજના આગેવાનો સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા









