માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી નાગરિક બેંકના સભાસદોને ભેટનું વિતરણ ચાલુ: ધારાસભ્ય, ચેરમેન, ડિરેકટરો હાજર રહ્યા


SHARE













મોરબી નાગરિક બેંકના સભાસદોને ભેટનું વિતરણ ચાલુ: ધારાસભ્ય, ચેરમેન, ડિરેકટરો હાજર રહ્યા

મોરબી નાગરિક સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટરો દ્વારા પારદર્શક વહીવટ કરવામાં આવે છે અને બેંકમાં સમયાંતરે જે ચોખો નફો હોય તેના આધારે દરેક સભાસદને ભેટ આપવામાં આવતી હોય છે તેવી જ રીતે હાલમાં મોરબી નાગરિક સહકારી બેંક દ્વારા તેના સભાસદો માટે બ્લેકેટ અને ટુવાલ સેટની બે જુદીજુદી ભેટ રાખવામા આવી છે જે પૈકીની સભાસદ નક્કી કરે તે એક ભેટ તેને બેન્ક ખાતેથી આપવામાં આવેલ છે રવિવારથી મોરબી નાગરિક સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટરોની હાજરીમાં ભેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને ત્યારે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, બેંકના ચેરમેન ભરતભાઇ મીરાણી, ડિરેક્ટર આપાભાઈ કુંભારવાડીયા, હંસાબેન ઠાકર, ચંદ્રિકાબેન પલાણ સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને ત્યારે બેંકના ચેરમેન ભરતભાઇ મીરાણીએ જણાવ્યુ હતું કે આ નાના લોકો માટેની બેન્ક છે ત્યાં લોકોને કોઈ પણ પ્રકારના છુપા ચાર્જ વગર લોન આપવામાં આવેલ છે તો ડિરેક્ટર આપાભાઈ કુંભારવાડીયાએ જણાવ્યુ હતું કે, મોરબીમાં મિલકત લેનારને લોન લેવામાં અન્ય બેંકમાં ઘણી મુશ્કેલી પડે છે જો કે, આ બેન્ક મારફતે વેલ્યુએશન આધારે પણ લોન આપવામાં આવે છે તેનો ઘણા જરૂરિયાત વાળા પરિવારોને લાભ મળે છે આ તકે આવેલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાજણાવ્યુ હતું કે, શહેરના સામાકાંઠે વિસ્તારમાં પણ મોરબી નાગરિક સહકારી બેંકની એક બ્રાન્ચ શરૂ કરવામાં આવે તો આ મોરબીની આપની પોતાની કહી શકાય તેવી બેન્કનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તેમ છે વધુમાં મોરબી નાગરિક સહકારી બેંકમાં ચેરમેને જણાવ્યુ હતુ કે, ત્રણ રવિવાર સુધી બેંકના સભાસદોને ભેટ આપવા માટે બેન્કની બાજુમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને સભાસદોએ વહેલમાં વહેલી તકે પોતાની ભેટ મેળવી લેવાની રહેશે






Latest News