મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘુટુ રોડે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સો ૨૨,૬૮૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના જુના ઘુટુ રોડે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સો ૨૨,૬૮૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીમાં જુના ઘુટુ રોડ તરફ જવાના રસ્તા ઉપર બેઠા પુલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૨,૬૮૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં શિવમ હોસ્પિટલ થી જુના ઘૂટું રોડ તરફ જવાના રસ્તા ઉપર આવતા બેઠા પુલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સંજયભાઈ જગજીવનભાઈ કૈલા જાતે પટેલ (૩૫), જીગ્નેશભાઈ જેરામભાઈ મારવાણીયા જાતે પટેલ (૩૦),  ગીરીશભાઈ નાનજીભાઈ ભોરણીયા જાતે પટેલ (૩૫) અને ચંદુભાઈ વલ્લભભાઈ મણવર જાતે પટેલ (૫૩) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૨,૬૮૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર ગામ પાસેના વેરોના સીરામીકમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા મૂળ બિહારના યુવાનનું વાહન અકસ્માતમાં મોત નીપજયું હતું જેથી કરીને તેના બોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળી રહેલ માહિતી મુજબ બંધુનગર ગામ પાસેના વેરોના સિરામિકમાં રહેતો સંતોષ કેદારભાઈ પાલ (૩૮) નામના બિહારી યુવાનને બંધુનગર ગામ પાસેના વેરોના સિરામિક નજીક રોડ ઉપર વાહન અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેનું મોત નીપજયુ હતું અને તેના બોડીને સિવિલે લઈને આવ્યા હતા અને યુવાનના મૃતદેહને તેના ભાઈને સોંપવામાં આવ્યો હતો અને હાલ તેની અંતિમ વિધિ માટે તેના ભાઈ ડેડબોડી લઈને તેના વતન ગયા છે તેવું તપાસ અધિકારી અશ્વિનભાઈ ઝાપડિયા પાસેથી જાણવા મળેલ છે.






Latest News