ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામે જુગાર રમતા ચારની ઘરપકડ


SHARE











મોરબીના જાંબુડીયા ગામે જુગાર રમતા ચારની ઘરપકડ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસની ટીમે જુગાર અંગે રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય તેઓની પાસેથી પોલીસે રૂા.૩૨૫૦ ની રોકડ કબ્જે કરીને આગળન કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી તાલુકાના જાંબુડિયા ગામે દશામાઁના ગેટની અંદરના ભાગે આવેલા ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હોય મોરબી તાલુકા પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી.ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મળી આવેલા અશોક પરસોત્તમભાઈ ઇન્દરીયા કોળી (૪૩), રમેશભાઈ રાણાભાઇ ગેલડીયા કોળી (૩૬), સંજયભાઈ ધરમશીભાઈ છેલાણીયા કોળી (૪૧) અને નવઘણભાઈ હરખાભાઈ ઇંટોદરા કોળી (૨૭) રહે.હાલ બધા જાંબુડીયાની તાલુકા પોલીસ સ્ટાફે રોકડા રૂા.૩૨૫૦ સાથે અટકાયત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પરિણિતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે વજાભાઈ વેલાભાઇ રાજપુતની વાડી વાવવા રાખેલી હોય અને ત્યાં મગફળીમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે ભૂલથી ઝેરી દવાવાળા ડબલામાં પાણી પીવાય જવાથી રંગીતાબેન અશ્વિનભાઈ અમરશીભાઈ રાઠવા નામની ૨૦ વર્ષીય નવોઢાને ઝેરી અસર થઇ હતી જેથી તેણીને મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.પરિણીતાનો લગ્નગાળો દોઢેક વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ તપાસ કરીને હળવદ પોલીસને જાણ કરતાં હળવદ પીએસઆઈ આર.બી.ટાપરીયાએ બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શ્રીજીનગર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા લલીતભાઈ અમૃતલાલભાઈ વ્યાસ બાઇક લઇને રોહીશાળા જવા માટે નીકળ્યા હતા ત્યારે ટંકારાના કલ્યાણપર ગામના પાટીયા નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જવાથી ઈજાગ્રસ્ત થયેલા લલીતભાઈ વ્યાસને આયુષ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.






Latest News