ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક !
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે નજીક વાતે પાડોશીઓ વચ્ચે મારામારી


SHARE













મોરબીના રવાપર રોડે નજીક વાતે પાડોશીઓ વચ્ચે મારામારી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં નજીવી વાતે બે પાડોશીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલા પાંચ લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના રવાપર રોડ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા નટવરભાઇ હરખાભાઈ બોડા (૪૫), શોભનાબેન નટવરભાઈ (૪૨) અને અંશ નટવરભાઇ (૧૪) ને ઇજાઓ થતા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સામેના પક્ષેથી પ્રાપ્તિબેન વિમલભાઈ જેતપરિયા (૨૩) અને વૈશાલીબેન વિવેકભાઈ જેતપરિયા (૨૯) રહે.ગાયત્રીનગર રવાપર રોડ વાળાઓને ઇજા થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઈજાગ્રસ્ત યુવાન સારવારમાં
મોરબીના શનાળા પાસે રહેતા નયન મનોજભાઈ સોનેપરા નામના ૨૧ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના શનાળા રોડ સ્કાય મોલ નજીકથી બાઈક લઈને જતા સમયે નયનભાઈનું બાઈક સ્લીપ થઈ જતા સર્જાયેલ અકસ્માતમાં તેને ઇજા થતા દવાખાને લઈ જવાયો હતો આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

યુવતી સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં રહેતી ચાંદનીબેન મિથુનભાઈ ચૌહાણ નામની ૧૬ વર્ષીય યુવતી કોઈ અજાણી દવા પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલએ લાવવામાં આવી હતી તેમ એ ડિવિઝન પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે.આ બનાવ અંગે ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાયેલી હોય પોલીસ મથકના એમ.જી.વાળા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આધેડ સારવારમાં
મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ રાજા નામના ૬૧ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના શનાળા રોડ છોટાલાલ પેટ્રોલ પંપ નજીક મોડી રાત્રીના બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ થતા રાજેશભાઈને સારવાર માટે ખસેડાયા હતા.

 






Latest News