મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તારમાં મીઠાઈ વિતરણ કરી દિવાળીની ઉજવણી


SHARE















મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તારમાં મીઠાઈ વિતરણ કરી દિવાળીની ઉજવણી

દિવાળીને હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. દિવાળીનો પર્વ લોકોના જીવનમાં તેમજ ઘરમાં ખુશીઓ તેમજ પ્રકાશ લઈને આવતો હોય છે. આ પર્વમાં લોકો નવા કપડાં, નવા વાસણો અને નવા ઘરેણાં ખરીદતા હોય છે, અને પોતાની ખુશીઓ વ્યક્ત કરતાં હોય છે. જો કે, ઘણા જરૂરીયાતમંદ પરિવાર એવા પણ હોય છે કે, જેમના ઘરે દિવાળીમાં આવી ખુશીઓ આવતી નથી. ત્યારે મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી પર્વની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા લોકો સાથે દિવાળીની અનોખી ઉજવણી કરી હતી. 

જેમાં મોરબીની નવલખી ફાટક, અગ્નેશ્વર મહાદેવ મંદિર, મયુર પુલ સહિતની સેવાવસ્તીમાં વસતા લોકોને ૨૦૦ થી વધુ લોકોને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપે ગરીબ લોકોની દિવાળીમાં ખુશીઓના રંગ ભરવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, પ્રભાબેન મકવાણા, કિંજલબેન માકાસણા, નિર્મળાબેન હડિયલ, વંસતાબેન ઉધરેજા, જાગૃતિબેન પરમાર, રૂતવીબેન ગજ્જર, ભાવિકાબેન ડાયાણી, દિવ્યાબેન કંઝારીયા સહિતના ગ્રુપના સભ્યો જોડાયા હતા.






Latest News