મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના સાપકડા ગામે કૂવામાં પડી જતા પાણીમાં ડુબી યુવાનનું મોત: કોહવાઇ ગયેલ લાશ મળતા તપાસનો ધમધમાટ


SHARE







હળવદ તાલુકાના સાપકડા ગામે કુવામાં પડી જવાથી યુવાનો મોત નિપજ્યુ હતુ જેથી કરીને તે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવાની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના જુના સાપકડા ગામે રહેતા ઘનાભાઈ માલાભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૪૪) નામનો યુવાન કોઈ કારણોસર તળાવમાં આવેલા કુવા પાસે ગયો હતો અને ત્યાં પગલપસી જવાથી કે પોતાના શરીરનું સંતુલન ગુમાવવાને કારણે પાણી ભરેલા કૂવામાં તે પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે ધનાભાઈ પરમારનું મોત નીપજ્યું હતું અને તેની કોહવાઈ ગયેલ બોડી કૂવામાંથી મળી આવી હોય આ બનાવ અંગેની મૃતકના ભાઈ તેજાભાઈ માલાભાઇ પરમાર (૪૬) રહે નવા સાપકડા વાળા એ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો અને આ બનાવ અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News