મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી : એક મહિનાનું બાળક સાથે મહિલાને પતિ રસ્તામાં મૂકીને જતા રહેતા આશ્રય અપાવતી મોરબી 181 અભયમ ટીમ


SHARE









મોરબી : એક મહિનાનું બાળક સાથે મહિલાને પતિ રસ્તામાં મૂકીને  જતા રહેતા આશ્રય અપાવતી મોરબી 181 અભયમ ટીમ

તારીખ:-11/11/2023 ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 મા કોલ આવેલ કે પીડિત મહિલા ને એક માસનું બાળક હોય અને તેમના પતિ રસ્તામાં મૂકીને જતા રહેલ હોય માટે મદદની જરૂર છે.

ત્યારબાદ તાત્કાલિક 181 મોરબી લોકેશન ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન તેમજ કોન્સ્ટેબલ ભારતીબેન પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે પહોંચેલ અને તે મહિલા પાસે જઈ સૌપ્રથમ મહિલાને  પહેલા સાંત્વના આપેલ ત્યારબાદ તેમનું કાઉન્સિલિંગ કરેલ જેમાં મહિલાએ જણાવેલ કે તેમને એક માસનું બાળક હોય તેવો બિહારના હોય પાંચ દિવસ થાય મોરબીમાં અહીંયા કંપનીમાં કામ કરવા માટે આવેલ હોય મહિલા ના  પતિ મહિલા ને રસ્તામાં મૂકી જતા રહેલ હોય તેમના પતિ નો ફોન પણ બંધ બતાવતો હોય મહિલા ને તેઓ ક્યાં રહે છે તે ખબર ના હોવાથી આજુબાજુના વિસ્તારમાં મહિલાને લઈ જઈ ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેઓ ક્યાં રહે છે તે મળેલ ના હોવાથી મોરબી સખી વન સ્ટોપ   સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવેલ મહિલાએ 181 અભયમ ટીમનો ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રી ગાયત્રી શક્તિપીઠ-વાંકાનેર દ્રારા તા.૧૬ ના રોજ સ્નેહ મિલન

દરેક વર્ષની જેમ આ વર્ષે ગાયત્રી પરિવાર દ્વારા સ્નેહ મિલનનું આયોજન રાખેલ છે.આપ સૌનું નૂતન વર્ષ સુખમય સમૃદ્ધિ મય નિવડે આ દિવ્ય તહેવાર આપના જીવનને ખુશીઓ અને ઉમંગથી ભરી દે તેવી શુભકામનાઓ સાથે આવતી કાલ તા.૧૬ ને ગુરુવારના રોજ સાંજે ૫ થી ૬:૩૦ ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે સ્નેહમિલન યોજાશે જેમા હાજર રહેવા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News