મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે પિતૃઓના મોક્ષાર્થ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબીના લાલપર ગામે પિતૃઓના મોક્ષાર્થ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના લાલપર ગામે રામજી મંદિર ચોક ખાતે કેશવજીભાઈ ભવનભાઈ બરાસરા પરિવાર દ્વારા પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જે કથા કાલથી શરૂ થવાની છે

મોરબીના લાલપર ગામે રામજી મંદિર ચોક ખાતે કેશવજીભાઈ ભવાનભાઈ બરાસરા, દીપકભાઈ બરાસરા, વિપુલભાઈ બરાસરા દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા તા. ૨૧ ને મંગળવારના રોજ કથા શરૂ કરવામાં આવશે અને તા. ૨૭ ને સોમવારના રોજ કથા પૂર્ણાહુતિ થશે અને કથા દરરોજ બપોરે ૨:૦૦ કલાક થી સાંજના ૬:૩૦ કલાક સુધી ચાલશે અને વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી નીતિનભાઈ જોશી ગુરુ વશિષ્ઠ નાથજી (થાણા ગલોલ વાળા) પોતાની સંગીતમય શૈલીમાં કથાનું શ્રોતાઓને રસપાન કરાવશે અને કથા દરમિયાન રોજ રાત્રે ૯:૦૦ કલાકે ધૂન ભજન સંતવાણીના કાર્યક્રમો યોજાશે અને તા.૨૩ ને ગુરૂવારની રાત્રે ૯:૦૦ વાગ્યે જામજોધપુરના સુપ્રસિદ્ધ નાટક મંડળ દ્વારા માં બાપને ભૂલશો નહીં નું નાટક ભજવવામાં આવશે તેમજ લોક ડાયરાના કલાકાર આરાધક છગન ભગત, ધૂન આરાધક અજય પ્રજાપતિ, ઢોલક વાદક સતીશગીરી ગોસ્વામી, રાજ ગઢવી, ભૂમિ આહીર, ગોપાલ સાધુ, સાગરદાન ગઢવી, અલ્પાબેન પટેલ, ઓમ ગુરુદત્ત ગૌશાળા કડતાલ ધૂન મંડળના કલાકારો સાથે  મારુતિ સાઉન્ડના સથવારે સંતવાણીના સુર ગાજશે આયોજકો દ્વારા જાહેર જનતાને કથાનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે






Latest News