હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
SHARE
હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૪/૧૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ, ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક, એસએસસી, એચએચસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
વાલાસણ ગામે સાફ-સફાઈ કરાઈ
સમગ્ર રાજ્યમાં જ્યારે ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લોમાં પણ વિવિધ સ્થળો એ સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. 'સ્વચ્છતા એજ સેવા' અભિયાન અન્વયે મોરબીના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે સાફ-સફાઈ કરી ગામને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું.









