મોરબીમાં કલેકટરના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવના સુચારૂ આયોજનની બેઠક યોજાઈ
મોરબીથી દ્વારકા જતાં સમયે અસ્કમાતમાં ઇજા પામેલા ચોથા પદયાત્રીનું મોત
SHARE
મોરબીથી દ્વારકા જતાં સમયે અસ્કમાતમાં ઇજા પામેલા ચોથા પદયાત્રીનું મોત
મોરબીથી દ્વારકા પગપાળા જતા રવાપર ગામે રહેતા પટેલ પરિવારના ચાર સભ્યોને જામનગરના મોટી ખાવડી પાસે અકસ્માત નડ્યો હતો અને ત્યાં કાર ચાલકે હડફેટે લેતા એક જ કુટુંબના ત્રણ સભ્યોના મોત નીપજયાં હતા અને એક વ્યક્તિને ઇજા થતાં સારવારમાં રાજકોટ લઈ ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તે ચોથા પદયાત્રીનું પણ મોત નીપજયું છે
મોરબી નજીકના રવાપર ગામે રહેતા રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, તેમના મામાના દીકરા પરેશભાઈ લિખિયા, કરશનભાઈ ભગવનજીભાઈ ભાડજા તેમજ રમેશભાઈના સાળા પ્રાણજીવનભાઈ રતિલાલ ઠોરિયા મોરબીથી તા ૧૨ ના રોજ રવાપરથી દ્વારકા જવા માટે રવાના થયા હતા અને પગપાળા જઇ રહેલા પદયાત્રિકો ખંભાળિયા હાઇવે ઉપર મોટી ખાવડી પાસે રીલાયન્સ ફેકટરીના મુખ્ય ગેઇટ પાસે પહોંચ્યા હતા ત્યારે જીજે ૨ ડીએમ ૫૯૧૮ નંબરની કારના ચાલકે તેને હડફેટે લીધા હતા અને આ ચાર પૈકીનાં એક જ કુટુંબના ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા અને જેમાં રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, પરેશભાઈ લિખિયા, કરશનભાઈ ભગવનજીભાઈ ભાડજાનો સમાવેશ થતો હતો અને આ આ ઘટનામાં ઇજા પામેલા પ્રાણજીવનભાઈ રતિલાલ ઠોરિયાને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે જેથી કરીને અકસ્માતના આ બનાવમાં કારની હડફેટે ચડેલા ચારેય પદયાત્રીઓના મોત નીપજયાં છે