આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારી યોજનાઓ ઘર આંગણે આવી: મોહનભાઈ કુંડારિયા


SHARE













વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારી યોજનાઓ ઘર આંગણે આવી: મોહનભાઈ કુંડારિયા

સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે વાંકાનેર તાલુકાના ઢુવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, “આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરકારશ્રીની યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તે માહિતી આપવાનો અને યોજનાઓનો લાભ આપવાનો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારી યોજનાઓ ઘર આંગણે આવી છે. ત્યારે જેમને આ યોજનાઓનો લાભ મળ્યો નથી તેમને આ યોજના વિશે જણાવી આંગળી ચીંધવાનું પુણ્ય મેળવીએ. આયુષ્માન કાર્ડ થકી ગંભીર બીમારીઓના ઈલાજ માટે ૧૦ લાખની સહાય આપવામાં આવે છે વિશ્વમાં આવી મોટી કોઈ યોજના ભાગ્યે જ હશે તેવું જણાવી તેમણે વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શીરેશિયા, શિરસ્તદાર એ.બી. પરમાર, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી બીપીનભાઈ સોલંકી, સર્કલ ઓફિસર આર.એ. ઝાલા, ઢુવા ગામના સરપંચ શાંતુબેન ચૌહાણ, અગ્રણી હરુભા ઝાલા તેમજ પદાધિકારી/અધિકારી અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News