મોરબીના જલારામ મંદિરે શનિવારથી શુધ્ધ ઘી ના અડદિયાઊ રાહતદારે વિતરણ શરૂ
SHARE
મોરબીના જલારામ મંદિરે શનિવારથી શુધ્ધ ઘી ના અડદિયાઊ રાહતદારે વિતરણ શરૂ
મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ ઘી માંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદીયા વિતરણ દર વર્ષની જેમ કરવામાં આવશે અને આગામી શનીવારથી આ વિતરણ થવાનું છે તેવું જાણવા મળેલ છે
શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઠંડી પણ દેખાવા લાગી છે ત્યારે પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડે આવેલ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ ઘી માંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદીયાનુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ કરવામાં આવશે અને આગામી શનીવાર તા. ૨૫ થી વિતરણ શરૂ કરવામા આવશે. અને આ અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. અને અડદીયા વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામા આવશે. તેમજ દરરોજ તાજા અડદીયા વિતરણ કરવામા આવશે. તેવું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે માહિતી આપતા જણાવ્યુ છે