મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે ભાગવત જ્ઞાનયજ્ઞ તેમજ હળવદના સુંદરગઢ ખાતે વિશ્વકર્મા મહાપુરાણ કથા યોજાશે


SHARE















મોરબીના સામાકાંઠે ભાગવત જ્ઞાનયજ્ઞ તેમજ હળવદના સુંદરગઢ ખાતે વિશ્વકર્મા મહાપુરાણ કથા યોજાશે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.કથાના વક્તા તરીકે મોરબીના પ્રસિદ્ધ ભાગવતાચાર્ય  કથાકાર શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે(સંસ્કૃત વિશારદ) બિરાજશે.

જેમાં કથા પ્રારંભ વિ.સંવત ૨૦૮૦ ને માગશર સુદ ૭ ને તા.૧૯-૧૨ ને મંગળવાર થી માગશર સુદ ૧૪ ને સોમવારે તા.૨૫-૧૨ ના રોજ કથા વિરામ થશે.કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો જેમ કે શ્રીમદ ભાગવત માહાત્મય, સાંખ્યોપ્દેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ધામધૂમથી ઉજવાશે.તેમજ કથા સમય બપોરે ૨ થી ૬ વાગ્યા સુધીનો રહેશે.આ કથામાં કોઈ યજમાનોએ પોતાના પિતૃઓના ફોટા રાખી પૂજન વિધિનો લાભ લેવો હોય તો મો.૮૦૦૦૯ ૧૧૪૪૪ ઉપર શાસ્ત્રીજીનો સંપર્ક કરવા જણાવાયેલ છે.કથા શ્રવણ માટે મોરબીવાસીઓને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

જયારે હળવદ ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથા યોજાશે.મોરબી જિલ્લાના હળવદ તાલુકા ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે હરિહર ગૌશાળાના પરમ પૂજ્ય સંત હરિહર બાપુ અને તેમના શિષ્ય ભીમદાસ બાપુના સહયોગથી આવતી કાલ તા.૨૮-૧૧ થી આ કથાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.હળવદના સુંદરગઢ શિરોઈ ખાતે આ ભવ્ય કથાનું આયોજન કરવામાં આવેલ છે.શીસ્ત્રી જયંતીભાઈ આ કથાનું રસપાન કરાવશે. સર્વે વિશ્વકર્મા જ્ઞાતિ પરિવાર આ કથાના આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યો છે.ઉપરાંત કથા દરમિયાન તા.૩-૧૨ ના રોજ ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.તેમજ તા.૪-૧૨ ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે તો કથાનું શ્રાવણ કરવા તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News