મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ટંકારા એસબીઆઇ ખાતે કેસ ડિપોઝીટ મશીન મુકવા માંગ, તાલુકાના સેન્ટરમાં સુવિધા મળે તો હજારો ગ્રાહકોને લાભ


SHARE















ટંકારા એસબીઆઇ ખાતે કેસ ડિપોઝીટ મશીન મુકવા માંગ, તાલુકાના સેન્ટરમાં સુવિધા મળે તો હજારો ગ્રાહકોને લાભ

ટંકારા તાલુકા મથકનુ ટાઉન હોય અને સરકારી બેન્કની માન્યતા વચ્ચે ગ્રામ્ય વિસ્તારની જનતા બેન્ક કામકાજ પૈસા ઉપાડ-જમા કરાવવા માટે આવતી હોય છે.જ્યારે બીજી તરફ ૪૫ ગામડામાં વચ્ચે માત્ર બે શાખા હોય ગ્રાહકોને સેવા સાથે સુવિધા ઉપલબ્ધ કરવા ટંકારા એસબીઆઇ ખાતે કેસ ડિપોઝીટ મશીન મુકવાની માંગણી ઉઠી છે જેનો સીધો ફાયદો બેન્ક અને ગ્રાહકોને થશે.ડિઝીટલ પેમેન્ટના યુગમાં આગળીના ટેરવે હવે બેન્કોના કામકાજ થઈ રહા છે એની સાથે ખાતામાં જમા ઉધાર માટે પણ મોટી સંખ્યામાં લોકો વ્યવહાર કરે છે. ત્યારે ટંકારા તાલુકા મથકનુ ટાઉન હોય જ્યા હજારો દેશ પરદેશના માઈગ્રેડ મજુરો કામકાજ અર્થે આવેલા છે અને બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં એસબીઆઇ ભરોસાની અને સરકારી બેન્કની માન્યતા વચ્ચે અહી બે જેટલી જ બ્રાંચ ૪૫ ગામડામાં ગ્રાહકોને ભારે ભીડને કારણે સમય વ્યતીત થાય છે.

ત્યારે ટંકારા એસબીઆઇ બેન્ક ખાતે કેસ ડિપોઝીટ મશીન મુકવામાં આવે તો અનેક સમસ્યા અને સુવિધાઓ વચ્ચે સેવા સુચારૂ રૂપે માંનવતા ગ્રાહકોને મળી રહે.જેનો સીધો ફાયદો કેસ જમા કરાવવા માટે આવતી ભીડ ધટાડી શકાય ઉપરાંત ધણા બધા મજુરો ખાતામાં ડિપોઝીટ કરાવવા માટે કમિશન આપે છે તો એમની મહેનતનો રૂપિયો બચત કરી શકે.સ્ટાફ ધટ હોવાની સમસ્યા સર્જાય ત્યારે ફાયદો થાય વેપારી, વિધાર્થી, સહિતના લોકો એના ફુરસદના ટાઈમે ડિપોઝીટ કરવા માટે જઈ શકે.ઉપરાંત બેન્કને પણ વારંવાર એટીએમમા કેસ નાખવાની તસ્દી ન લેવી પડે.શનિ-રવી રજામાં પણ ગ્રાહકો કામ કરી શકે એવા અનેકોનેક ફાયદા કેસ ડિપોઝીટ મશીન મુકતા મળી શકે છે ત્યારે ટંકારા આ સુવિધાને તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગણી ઉઠી છે.બેંક અને ગ્રાહક બંનેને ફાયદો થશે એટીએમ માં કેશ ડિપોઝિટ કરાવવાથી બેંક તેમજ ગ્રાહકોને ફાયદો થશે કારણ કે, જે પૈસા ગ્રાહક એટીએન મશીનમાં જમા કરશે તેનો ઉપયોગ ઉપાડ માટે પણ કરી શકાશે. એવામાં એટીએમમાં વારંવાર કેશ ભરવી નહીં પડે બેન્ક હડતાળ કે લાંબી રજાના દિવસે તો આ સેવા આશિર્વાદ રૂપ બની શકે છે. અડધી રાત્રે પણ સગા સંબંધી કે કુટુંબીને ઈમર્જન્સી કોઈ અન્ય શહેરમા પૈસાની જરૂર પડે તો માદરે વતનથી નાખી શકાય છે.નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ સિસ્ટમ તરફ આગળ વધી રહી છે ત્યારે ટંકારા કેસ એટીએમ માટે ઝુંબેશ કરે છે..! નેશનલ ફાઇનાન્શિલ સ્વિચ દ્વારા ગમે તે બેન્કના ગ્રાહક કોઈપણ એટીએમમાં ડિપોઝીટ કરી શકે છે એ માટે નાના તબક્કે કામ ચાલુ છે.યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસને પણ આ જ રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું.આ નવી ટેક્નિકને ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેંકિંગ ટેક્નોલોજી દ્વારા તૈયાર કરવામાં આવી છે.પરંતુ ટંકારા કેસ ડિપોઝીટ મશીન માટે પણ વલખા મારે છે.






Latest News