મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે સર્વિસ રોડ ઉપર થયેલ વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે સર્વિસ રોડ ઉપર થયેલ વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ પાસે સર્વિસ રોડ ઉપર વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં ઘવાયેલા સજનપર ગામના રબારી યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે આવેલ દરિયાલાલ હોટલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં સર્વિસ રોડ ઉપર સર્જાયેલા વાહન અકસ્માતના બનાવની અંદર ટંકારા તાલુકાના સજનપર ગામના રહેવાસી હમીરભાઇ પરબતભાઈ રબારી નામના ૨૧ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં થયેલી જાણ ના પગલે હાલ તાલુકા પોલીસ મેથકના એમ.જે. કહાંગરા દ્વારા આ અકસ્માત બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે રાધે હોટલના પાછળના ભાગે રહેતા પારૂલબેન લલીતભાઈ સાવરીયા નામની ૨૮ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના કાલિકા કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અનવર હુસેનભાઇ માજોઠી નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાવળીયા પીર દરગાહ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે અંગે જાણ થતાં એ ડીવીઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાય છે.






Latest News