મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સુલ્તાનપુર ગામના સગીર વયના પ્રેમીપંખીડાએ નાની મોલડી નજીક મંદિરના પટાંગણમાં અંતિમ પગલું ભર્યું


SHARE













માળીયા (મી)ના સુલ્તાનપુર ગામના સગીર વયના પ્રેમીપંખીડાએ નાની મોલડી નજીક મંદિરના પટાંગણમાં અંતિમ પગલું ભર્યું

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામના  વિશાલ લાભુભાઈ પાટડીયા અને તેની જ બાજુમાં રહેતી સપનાબેન મુન્નાભાઈ સીસણોદા  ગઈકાલથી ઘરેથી ગુમ થઈ ગયા હતા જેની પરિવારજનોએ શોધખોળ કરી રહ્યા હતા તેવામાં નાની મોલડી પોલીસ સ્ટેશનેથી સાગરી વયના યુવાન અને સગીરાના પરિવારને બનાવની જાણ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી કરવાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ  ચોટીલાના ઝીંઝુડા ગામ પાસે આવેલા મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ ઝાડ ઉપર  પ્રેમી પંખીડાએ એક જ ચુંદડી વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જે અંગેની મંદિર પાસેથી પસાર થતા ગ્રામજનોને જાણ થતાં પોલીસને આ બનાવની જાણ કરી હતી ત્યારે બાદ પોલીસ ત્યાં આવી હતી અને મૃતક યુવક અને યુવતીની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરી હતી અને મૃતક યુવાન વિશાલ લાભુભાઈ પાટડીયા (૨૦) અને સગીરા સપનાબેન મુન્નાભાઈ સીસણોદા (૧૬) હોવાનું સામે આવ્યું હતું અને તે બંને ગઈકાલે બાઈક લઈને પોતાના ગામેથી નીકળી ગયા હોવાનું સામે આવ્યું હતું આ બનાવની પોલીસે મૃતક સગીર વયના પ્રેમીપંખીડાના પરિવારને જાણ કરી હતી જેથી તે લોકો જીંજુડા ગામે પહોંચ્યા હતા અને વધુમાં લોકોમાં થતી ચર્ચા મુજબ આ બંને આખો દિવસ ઝીંઝુડાની આજુબાજુ ફર્યા હતા અને ત્યાં આવેલ હિંગળાજ શક્તિપીઠ ધામે દર્શન પણ કર્યા હતા બાદમાં કોઈપણ કારણોસર બંને લોકોએ ઝાડ સાથે ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને મૃતક પ્રેમીપંખીડા પાસેથી એક ૫૦ રૂપિયાની ચલણી નોટ મળી છે જેમાં લખ્યું છે કે, “ છોકરાને હું લઈને આવી છું, છોકરો મને નથી લાવ્યોહાલ તો  નાની મોલડી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવહી કરેલ છે






Latest News