મોરબી જીલ્લામાં ફળદ્રુપ જમીનનો નાશ કરીને બની રહેલા નવો નેશનલ હાઇવે કોઈ પણ ભોગે મંજૂર નથી: ખેડૂતો
માળીયા (મીં )ના મોટા દહીંસરા ગામે યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE
માળીયા (મીં )ના મોટા દહીં સરા ગામે યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા અશ્વિનભાઈ ગોવિંદભાઈ કાંજીયા (૪૩) નામના યુવાને કોઈપણ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે માળિયા-મિયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા આર.એમ. ગરચર ચલાવી રહ્યા છે.
માર માર્યો
વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા ચતુરભાઈ ભાનુભાઈ દેલવાડીયા (૬૦) નામના વૃદ્ધને પત્તુભાઈએ લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા ચતુરભાઈને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.