મોરબી જિલ્લા એલસીબીની ટીમે લુંટ-ધાડ અને લોકઅપમાંથી ભાગી જવાના ગુનામાં ૨૧ વર્ષે આરોપીને પકડ્યો
મોરબીમાં દરબારગઢ પાસે મોટા મંદિરમાં શનીદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ-મહાપ્રસાદ યોજાયો
SHARE
મોરબીમાં દરબારગઢ પાસે મોટા મંદિરમાં શનીદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ-મહાપ્રસાદ યોજાયો
મોરબીના દરબારગઢ પાસે આવેલુ મોટા પ્રસાદ મંદિર છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હતું જેથી કરીને તે મંદિરના જીર્ણોદ્ધારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મંદિરમાં શનિદેવનું પણ સ્થાપના કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ત્યારે મોટા પ્રસાદ મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઘણા લોકોએ લાભ લીધેલ હતો અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના આ મોટા મંદિરમાં ચત્રભુજ રાય માધવરાય, ત્રિકમરાય, મોહનરાય તેમજ વિશ્વનાથ મહાદેવ અને જોડીયા હનુમાનજી બિરાજમાન હતા અને હવે મંદિરમાં નવ ગ્રહ શનિદેવની પણ સ્થાપના કરવામાં આવી છે આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા માટે નિકુંજભાઈ, હિતેશભાઈ, જયભાઈ અને રાજુભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી