આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી: ભાઈ અન્ય યુવક સાથે વાત કરતા જોઈ જતા સગીર બહેને ન કરવાનું કર્યુ


SHARE













મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકર અન્ય યુવાન સાથે અંધારામાં વાતો કરતી હતી ત્યારે તેનો ભાઈ તેને જોઈ ગયો હતો જેથી કરીને તેનો ભાઈ તેના માતા-પિતાને જાણ કરી દેશે તે ચિંતામાં તેણે ખાનપર ગામ નજીક જીઇબીના વીજ પોલ સાથે ચુંદડી બાંધીને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં ધનજીભાઈ સવજીભાઈ કંઝારીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ સમસુભાઈ મીનામા જાતે આદિવાસી (૩૭) ની દીકરી દીપિકાબેન દિનેશભાઈ મીનામા જાતે આદિવાસી (૧૭) એ ખાનપર ગામની સીમમાં ગોકળભાઈ ડાયાભાઈ અમૃતિયાની વાડીના શેઢે જીઇબીના વિજ પોલ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીતેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવાની મૃતક સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ  મૃતક સગીરા વાડીથી ત્રણ ખેતર દૂર વિપુલ નામના છોકરા સાથે અંધારામાં વાતો કરતી હતી અને ત્યારે તે બંનેને તેનો ભાઈ રોહીત જોઈ ગયો હતો જેથી કરીને તે બંને અલગ અલગ ખેતરમાં ભાગી ગયા હતા અને સગીરાનો ભાઈ તેના માતા-પિતાને આ અંગે વાત કરશે તેવું મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવાર જણાવે છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News