માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ પ્રા.આ.કેન્દ્ર દ્વારા એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસની ઉજવણી કરાઈ


SHARE







માળીયા (મી)ના સરવડ પ્રા.આ.કેન્દ્ર દ્વારા એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા જિલ્લા આર.સી.એચ. અધિકારીની હાજરીમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે કિશોરાવસ્થાને મૂંઝવતા પ્રશ્નો અને સમસ્યાને સ્પર્શતો વિષય એટલે કે પોષણ અને પરામર્શને આવરી લેવામાં આવ્યો હતો આ તબક્કે મેડિકલ ઑફિસર ડો. નિરાલી ભાટિયાએ કિશોરાવસ્થામાં પોષણ અને સંતુલિત આહાર અને તેના ફાયદા વિશે દરેક કિશોરીઓને વિસ્તૃત માહિતી આપી હતી. કિશોરીઓને આ અવસ્થા દરમિયાન થતા શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફાર, કિશોરીઓને આવતા માસિક ચક્ર અને તેમાં રાખવામાં આવતી સ્વચ્છતાં વિશે પણ ડો. નિરાલી ભાટિયા એ સમજ આપી હતી. આ ઉપરાંત આ તકે જિલ્લા કક્ષાએથી હાજર રહેલા જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. વિપુલ કારોલીયાએ કિશોરાવસ્થામાં હિમોગ્લોબીન તપાસનું મહત્વ તેમજ એનિમિયા અને એનિમિયા અટકાવવા માટે નિયમિત લોહતત્વની ગોળી લેવાના ફાયદા વિશે વિશેષ સમજણ આપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડની ટીમ દ્વારા દરેક કિશોરીઓ હિમોગ્લોબીનની તપાસ તેમજ વજન, ઊંચાઈ, BMI તપાસ કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત કિશોરીઓએ જાતે પોષણયુક્ત વાનગીઓ બનાવીને વાનગી હરીફાઈમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વાનગી હરીફાઈમાં ઉત્કૃષ્ટ વાનગી માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપીને તે કિશોરીઓને જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. વિપુલ કારોલીયાના હસ્તે પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ આ વાનગી હરીફાઈમાં ભાગ લીધેલ તમામ કિશોરીઓને પણ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.




Latest News