મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વઘાસિયાના ગેરકાયદે ટોલનાકા મુદે તપાસ કમિટીના રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે: કલેક્ટર


SHARE







વઘાસિયાના ગેરકાયદે ટોલનાકા મુદે તપાસ કમિટીના રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે: કલેક્ટર

વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે ટોલ ન ભરીને વાહનો બાયપાસ કરવામાં આવતા હતા અને ત્યાં ગેરકાયદે ઉઘરાણા કરવામાં આવતા હતા જેથી કરીને આ બોગસ ટોલનાકા મુદે સમાચાર સામે આવતાની સાથે જ અધિકારીઓએ દોડતા થયા હતા અને તાત્કાલિક તપાસ માટેનો આદેશ પણ કરવામાં આવ્યો હતો જો કે, આ મુદે મોરબીમાં શોભેશ્વર રોડે આવેલ કલેકટર કચેરી ખાતે કલેક્ટર અને એસપીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં અધિકારીએ જણાવ્યુ હતું કે, તપાસ કમિટીના રિપોર્ટના આધારે ગેરકાયદે ટોલનાકું શરૂ કરનારાઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

 

 

મોરબીમાં શોભેશ્વર રોડે આવેલ કલેકટર કચેરી ખાતે બોગસ ટોલનાકા મુદે કલેક્ટર જી.ટી. પંડ્યા અને એસપી રાહુલ ત્રિપાઠીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં કલેકટરે જણાવ્યું હતું કે, વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે ટોલ ન ભરીને વાહનો બાયપાસ કરવામાં આવે છે તેવી તેઓને ફરિયાદ મળી હતી ત્યારે હાઇવે ઓથોરિટીને જે મદદ જોઈતી હોય તે આપવાની તંત્રની તૈયારી હતી જો કે તે લોકો આગળ આવ્યા ન હતા અને હાલમાં મીડિયાના મધ્યમથી સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે હવે કલેક્ટર દ્વારા ડીવાયએસપી અને એસડીએમ કક્ષાની ટીમ બનાવીને તપાસનો આદેશ આપેલ છે અને તેના રિપોર્ટના આધારે ગેરકાયદે ટોલનાકું શરૂ કરનારાઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ નેશનલ હાઈવે ઓથોરીટી અને ટોલટેક્ષ બુથ એજન્સી દ્વારા કેટલીક કાર્યવાહી કરવાની જરૂર છે તેના માટે તેઓને સૂચના આપવામાં આવેલ છે અને નેશનલ હાઈવેની બંને બાજુ ઓથોરીટીની માલિકીના રસ્તા છે ત્યાં અનઅધિકૃત પ્રવેશ થઇ ન શકે તેવી રીતે તે રસ્તાઓને બંધ કરવા માટે કહેવામા આવ્યું છે

અત્રે ઉલેખનીય છે કે, ટોલનાકાના સંચાલકો દ્વારા કલેક્ટર એસપીને જે રજૂઆતો કરવામાં આવી રહી હતી ત્યારે કોઈ પગલાં કેમ લેવામાં આવ્યા ન હતા તે બાબતે પૂછતા અધિકારીએ કહ્યું હતું કે, ત્યારે તંત્રની ટીમને મોકલી હતી જો કે ત્યારે પણ નેશનલ હાઈવે ઓથોરીટી કે ટોલ ટેક્ષ એજન્સીના અધિકારીએ કોઈ ફરિયાદ નોંધાવી ન હતી અને હાલમાં પણ તે લોકો ફરિયાદી બનેલ નથી ત્યારે સરકાર પક્ષે પોલીસ ફરિયાદ બનેલ છે અને કુલ મળીને પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે જો કે, ફરિયાદ બાબતે એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યુ હતું કે, પાંચ આરોપીઓ સામે નામ જોગ ફરિયાદ છે તેમજ તપાસમાં જેના નામ સામે આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને છેલ્લા દોઢેક વર્ષથી ગેરકાયદે ઉઘરાણા કરવામાં આવતા હતા તે મુદે પૂછતાં એસપીએ જણાવ્યું હતું કે, રૂપિયા ઉઘરાવે છે તેવી માહિતી ન હતી જો કે, વૈકલ્પિક રસ્તો બનાવીને વાહનો પાસ કરવામાં આવે છે તેવી ફરિયાદ મળી હતી હાલમાં જે અમરશીભાઈ જેરામભાઈ પટેલ સામે ફરિયાદ છે તે પાટીદાર સમાજના આગેવાન જેરામભાઈ વાંસજાળિયાનો દીકરો છે કે શું તે અંગે પૂછતા તેની માહિતી એસપી પાસે ન હતી






Latest News