ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યાના ગુનામાં તેની વાડીએ કામ કરતાં કાકી-ભત્રીજાની ધરપકડ


SHARE













માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યાના ગુનામાં તેની વાડીએ કામ કરતાં કાકી-ભત્રીજાની ધરપકડ

માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે ખેડૂત યુવાનની તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરવામાં આવી હતી જેની મૃતક યુવાનના ભાઈએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને તેની જ વાડીએ કામ કરતાં મજૂરોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે મૃતક ખેડૂતની વાડીએ પતિ પત્નીની જેમ રહીને મજૂરી કામ કરતાં કાકી-ભત્રીજાની ધરપકડ કરેલ છે અને આરોપીની મહિલાના મૃતક યુવાને અડપલાં કરેલ હોવાની શંકાના આધારે તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં વિગત સામે આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે રહેતા ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયા જાતે પટેલ (૫૭)એ તેઓના ખેતરે કામ કરતાં આદિવાસી રાકેશભાઈ અને તેની સાથે પત્નીની જેમ રહેતી મહિલાની સામે પોતાના ભાઈની હત્યાની ફરિયાદ કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કેફરિયાદીનો ભાઈ પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા (૩૭)ને છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે માથાની પાછળના ભાગમાંગાળા ઉપર અને મોઢા ઉપર ઘા મારીને તેના જ ખેતરમાં હત્યા કરવામાં આવી હતી અને ખેડૂત યુવાનની હત્યા કરવામાં આવી ત્યારથી તેના ખેતરે કામ કરતાં બને મજૂર ગુમ થઈ હતા હતા જેથી તેને જ હત્યા કરી હોવાની પ્રબળ શંકા હતી જેથી પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં હાલમાં પોલીસે આરોપી રાગેશ ઉર્ફે રાકેશ જુવાનસિંગ બધેલ (૪૦) અને રાજબાઈ નરસિંગ બધેલ (૪૨) રહે બંને હાલ રોહિશાળા વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને આરોપી છોટા ઉદેપુર તેમજ મધ્યપ્રદેશમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે આરોપી રાકેશ અને રાજબાઈ સબંધમાં ભત્રીજો-કાકી થાય છે અને પ્રેમ સબંધ હોવાથી તેઓ ત્યાંથી ભાગીને અહી આવ્યા હતા અને પતિ પત્નીની જેમ મૃતકની વાડીએ રહેતા હતા જો કે, મૃતક યુવાને મહિલાના અડપલાં કરીને તેની પાસે અણછાજતી માંગણી કરી હતી જેથી તેની હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં હત્યાના કામે વપરાયેલ હથિયાર તેમજ મૃતકનું બાઇક ગુમ થયું હતું તે બંને કબજે કરેલ છે 






Latest News