ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકાની ફરિયાદ બાબતે જેરામભાઈએ ધારાસભ્યને સાથે રાખીને કરી એસપીને રજૂઆત


SHARE













મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકાની ફરિયાદ બાબતે જેરામભાઈએ ધારાસભ્યને સાથે રાખીને કરી એસપીને રજૂઆત

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસે બંધ પડેલ ફેક્ટરીમાંથી રસ્તો કાઢીને ગેરકાયદે ટોલનાકુ ઊભું કરવામાં આવ્યું હતું અને ત્યાંથી ઉઘરાણા કરવામાં આવતા હતા જે બાબતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના દીકરા સહિત કુલ પાંચ સામે ફરિયાદ નોંધાયેલ છે ત્યારે પાટીદાર સમાજના આગેવાન જેરામભાઈ ટાંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને સાથે રાખીને મોરબી જિલ્લાના એસપીને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા.

છેલ્લા દોઢેક વર્ષથી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર વઘાસિયા ટોલનાકા પાસે આવેલ બંધ પડેલ વ્હાઇટ હાઉસ ફેક્ટરીમાથી ગેરકાયદે રસ્તો બનાવીને ત્યાંથી વાહનોને કાઢવામાં આવતા હતા અને તે વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા જેથી સરકારને ટોલટેકસમાં નુકશાની જતી હતી જેથી કરીને આ બાબતે સમાચારો આવ્યા પછી અધિકારીઓએ દોડતા થયા હતા અને આ બાબતે ગઇકાલે સાંજે પોલીસે ફરિયાદી બનીને સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરા અને વ્હાઇટ હાઉસ સિરામિક ફેકટરી વાળા અમરશીભાઈ જેરામભાઈ પટેલ સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધી હતી અને હાલમાં આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે તેવામાં સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે તેઓએ ભાડા કરાર કરીને ફેકટરી ભાડે આપી છે અને ભાડુઆત શુ કરે તે તેઓને ખબર ન હતી જો કે, ત્યાર બાદ જેરામભાઈ વાસજાળીયા ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને સાથે રાખીને એસપીને ફરિયાદ બાબતે રજૂઆત કરવા માટે પહોચ્યા હતા અને ત્યાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, ગેરકાયદે ટોલનાકા બાબતે જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં તેના દીકરા અમરશિભાઈના નામના ઉલ્લેખ છે તે બાબતે તેઓ ધારાસભ્યને સાથે રાખીને રજૂઆત કરવા માટે આવ્યા હતા






Latest News