મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા યોજાયેલ પદયાત્રા-મહા પંચાયતમાં શિક્ષકો સહિતના કર્મચારીઓ હાજર રહ્યા


SHARE









મોરબીમાં રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા યોજાયેલ પદયાત્રા-મહા પંચાયતમાં શિક્ષકો સહિતના કર્મચારીઓ હાજર રહ્યા

ગુજરાત રાજ્યના શિક્ષકો સહિતના અન્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી જૂની પેન્શન યોજના યોજના પુન: લાગુ કરવા સહિતના અનેક પ્રશ્નો માટે લડત ચલાવી રહ્યા છે. તો પણ સરકાર મચક આપી રહી નથી ત્યારે આજે મોરબીમાં ચાર જિલ્લા શિક્ષકો સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને પદયાત્રામાં જોડાયા હતા તેમજ મહા પંચાયત યોજાઇ હતી જેમાં પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવે તેના માટેની બુલંદ માંગ કરવામાં આવી છે અને સરકાર તેઓની માંગણી નહીં સંતોષે તો આગામી દિવસોમાં રાષ્ટ્રીય સંઘ દ્વારા જે આદેશ કરવામાં આવશે તે મુજબ લડત અને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

છેલ્લા બે વર્ષથી જૂની પેન્શન યોજના યોજના માટે શિક્ષકો સહિતના કર્મચારીઓ લડત કરી રહ્યા છે અને છેલ્લે વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા બનાવેલી પાંચ મંત્રીઓની કમિટીએ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો સૈદ્ધાંતિક સ્વીકાર પણ કરેલ હતો છતાં આજદિન સુધી ઠરાવ બહાર પાડેલ ન હોય. બીજી ઓક્ટોબરના ગાંધીજયંતીના રોજ સમગ્ર રાજ્યમાં મૌન રેલી અને ધરણાનું આયોજન કરેલ હતું. ત્યારબાદ જિલ્લા સંગઠન દ્વારા તમામ સાંસદધારાસભ્યોચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ભાજપ સંગઠનના પ્રમુખોને આવેદનો આપવાના કાર્યક્રમો યોજાયો અને ઘણા બધા રાજનેતાઓએ કર્મચારીઓના સમર્થનમાં પ્રધાનમંત્રીમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને ભલામણ પત્રો સમર્થન પત્રો પણ લખી આપેલ છતાં આજદિન સુધી સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી થયેલ નથી

જેથી કરીને શનિવારે મોરબી જિલ્લામાં પણ પદયાત્રા અને મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છરાજકોટસુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના શિક્ષકો સહિતના અન્ય તમામ વિભાગના કર્મચારીઓ ખુબજ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા બસ સ્ટેન્ડની બાજુમાં સરદારબાગથી લઈને કેસર બાગ સુધી પદયાત્રા યોજાઇ હતી ત્યારે બાદ મોરબીના વેજીટેબલ રોડે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે મહા પંચાયત યોજાઇ હતી જેમાં અન્ય રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવેલ છે તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં કેમ નહિ તે સહિતના સવાલો ઊભા કરીને Only OPS OPS ના નારા શિક્ષકો સહિતના કર્મચારીઓએ લગાવ્યા હતા અને જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવામાં આવે તે સહિતના પ્રશ્નો ઉકેવામાં આવે તેવી બુલંદ માંગ કરી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિનેશભાઇ વડસોલા સહિતના સ્થાનીક કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News