વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ યુવાનનુ મોત
મોરબીના જાંબુડીયા ગામ પાસે મહિલાએ આત્યાંતિક પગલું ભરી લેતા મોત
SHARE
મોરબીના જાંબુડીયા ગામ પાસે મહિલાએ આત્યાંતિક પગલું ભરી લેતા મોત
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે પેટ્રોલ પંપની સામેના ભાગમાં આવેલ નીલકંઠ કંપનીમાં રહેતી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃત દેહને તેનો દીકરો મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામની સીમમાં એસઆર પેટ્રોલ પંપની સામેના ભાગમાં નીલકંઠ કંપનીમાં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના મેસણકા ગામના રહેવાસી રાધાબેન મુકેશભાઈ દાણા (૩૭) નામની મહિલાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક મહિલાનો દીકરો હાર્દિક મુકેશભાઈ દાણા તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એમ.જે. કહાંગરા ચલાવી રહ્યા છે.