હળવદના સાપકડા ગામે વાડીએ ઝેરી દવા વાળુ પાણી પી ગયેલા યુવાનનું મોત
ટંકારામાં દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતી નિમિતે યોજાનાર બોધોત્સવ માટે રાષ્ટ્રપતિને આમંત્રણ, વડાપ્રધાન હાજર રહે તેવી શક્યતા
SHARE
ટંકારામાં દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતી નિમિતે યોજાનાર બોધોત્સવ માટે રાષ્ટ્રપતિને આમંત્રણ, વડાપ્રધાન હાજર રહે તેવી શક્યતા
મોરબી જિલ્લાના ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતી નિમિત્તે શિવરાત્રીના રોજ બૌધોત્સવ યોજાતા હોય છે તે રીતે જ આગામી શિવરાત્રીના રોજ બોધત્સવ યોજાવોનો છે.જેથી મોરબીના ટંકારા ખાતે આગામી શિવરાત્રીના બોધોત્સવમા સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપી સીએમ યોગી આદીત્યનાથ, ગુજરાત સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ દેવવ્રતજી વિગેરે આમંત્રિત મહેમાનો હાજર રહે તેવી શક્યતાઓ છે અને આ કાર્યક્રમને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીને ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતજી સહિતના આગેવાનો દ્વારા કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.આગામી શિવરાત્રીના રોજ સમગ્ર ટંકારા ઋષિમય બની જશે અને ૨૦ હજારથી વધુ આર્યો ઉપસ્થિત રહશે.અત્યારથી જ સમગ્ર ટંકારા ખાતે આ પ્રસંગે ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને તેના માટેની તળામાર તૈયારીઓ ચાલી રહી છે