મોરબી ઝૂલતા પુલ કેસ : જામીન અરજીમાં જયસુખભાઇ પટેલની સ્પષ્ટ વાત મેં રાજ્ય સરકારના કહેવાથી પ્રોજેક્ટ હાથમાં લીધો હતો
SHARE
મોરબી ઝૂલતા પુલ કેસમાં જામીન અરજીમાં જયસુખભાઇ પટેલની સ્પષ્ટ વાત મેં "રાજ્ય સરકારના કહેવાથી પ્રોજેક્ટ હાથમાં લીધો હતો"
- આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી
- "મેં માત્ર લોકોની સેવા માટે પ્રોજેક્ટ લીધો હતો કોઈ અંગત સ્વાર્થ માટે નહીં" : જયસુખ પટેલ
- "રાજ્ય સરકારના કહેવાથી પ્રોજેક્ટ હાથમાં લીધો હતો"
- "બ્રિજની જવાબદારી સરકાર પોતાના હસ્તક લઈ લે તેવી પણ જાણ કરી હતી"
- "135 લોકોના જીવ ગયા લોકો અનાથ બન્યા તે હકીકત બદલી શકાય તેવી નથી"
- "હું મારી કોઈપણ જવાબદારી માંથી ભાગવા માંગતો નથી"
- "વળતર ચૂકવીને મેં કોઈ દાન પુણ્ય કર્યું નથી"
- "મૃત્કોના પરિજનોની વેદનાનું શબ્દોમાં વર્ણન થઈ જ ન શકે"
- "કેસની ચાર્જશીટ પ્રમાણે સજા પડે તો પણ મહત્તમ 10 વર્ષ જેલ"
- " કોઈને જાણી જોઈને માર્યા નથી"
- "મને જેલમાં રાખવાથી કોઈ અર્થ સરવાનો નથી"
- "યોગ્ય શરતો પર નિયમિત જામીન કોર્ટ મંજૂર કરે એવી વિનંતી"
- મૃતકોના પરિવારજનો તરફથી અરજીનો સખત વિરોધ કરાયો
- "આરોપીને જો જામીન આપવામાં આવશે તો મૃતકોના પરિવારજનો ને લાગેલા આઘાત પર વધુ વજ્રાઘાત થશે"
- "કોટ સમક્ષ મુકાયેલા તમામ પુરાવાઓ અને રેકર્ડને જોતા આરોપીની જાણ બહાર આ કૃત્ય થયું નથી તે સ્પષ્ટ થાય છે"
- "આરોપીએ કરેલો અપરાધ એ માનવતાની વિરુદ્ધનો"
- "મોરબી પુલ પર 10 થી વધુ લોકો જઈ શકે નહીં તેવી સ્થિતિમાં આટલા બધા લોકો જાણ બહાર પહોંચ્યા હોવાની બાબત માની શકાય નહીં"
- "માત્ર પૈસા કમાવવાની લાલચમાં લોકોના જીવનો ભોગ લેવાયો"
- સરકાર આવતી કાલે પોતાનો પક્ષ રજૂ કરશે.