હળવદ શહેરમાં બનશે ઉમિયા માતાજીનું મંદિર
SHARE
હળવદ શહેરમાં બનશે ઉમિયા માતાજીનું મંદિર
હળવદના ઉમા કન્યા છાત્રાલય હળવદ ખાતે કડવા પાટીદાર સમાજના કુળદેવી જગત જનની માઁ ઉમિયાના મંદિરનું ભૂમિપૂજન છાત્રાલયમાં અભ્યાસ કરતી બાળાઓના શુભ હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી પાટીદાર સમાજના અગ્રણીઓ, વડીલો અને યુવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતુ. કહેવત છે ને આદર્યા અધૂરા ન રહે એમાંય વળી પાટીદાર સમાજના કુળદેવી માઁ ઉમિયાના મંદિરનું નિર્માણ થતું હોય તેની પ્રેરણા લઈને મૂળ નવા દેવળીયા વતની અને હાલ અડાલજ ગાંધીનગર ખાતે રહેતા સવજીભાઈ વિડજા દ્રારા રૂા.૫.૧૧ લાખ જેવી માતબર રકમનો સહયોગ કરવામાં આવ્યો છે.