મોરબીમાં વર્ષ ૨૦૧૯ માં સગા ભાઇ ઉપર જીવલેણ હુમલો કરી ચાર વર્ષથી ફરાર આરોપી સેલવાસથી પકડાયો
મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે ફ્રી સર્વરોગ મહા નિદાન-રક્તદાન કેમ્પનું આયોજન
SHARE
મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે ફ્રી સર્વરોગ મહા નિદાન-રક્તદાન કેમ્પનું આયોજન
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે શિવમ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ અને સંસ્કાર બ્લડ બેન્કના સૌજન્યથી ફ્રી સર્વરોગ મહા નિદાન અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ આગમી તા. ૧૭/૧૨/૨૦૨૩ ને રવિવારે સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦ સુધી શિવમ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે રાખવામા આવેલ છે
આ કેમ્પમાં સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે જેમાં ડો. નિશિથ સરડવા, (એમ.ડી., ડી. એમ કાર્ડિયોલોજિસ્ટ), ડો. રિષમ ખંડેરિયા, (એમ. સીએચ. ન્યુરો સર્જરી), ડો. પ્રહલાદ ઉઘરેજા (એમ.બી.બી.એસ.., ડી.ઓર્થો અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન), ડો. સાગર ખાનપરા (એમ.એસ.ઓર્થો), ડો. રવિ કોટયા (એમ.બી.બી.એસ.ડી. એન. બી. જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જરી), ડો. વૈભવ દફતરી. (એમ. બી. બી. એસ. એમ. ડી. મેડિસિન), ડો. વિશ્વા કોટેચા (એમ.એસ. ડી.એન.બી. ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજિસ્ટ), ડો. કુલદીપ દેત્રીજા (એમ.ડી. પિડીયાટ્રીકસ અને નિયોનેટોલોજિસ્ટ), ડો. નીરજ આનંદ (એમ.એસ. ઈ.એન.ટી.), ડો. ચિંતન માહેશ્વરી (ઓપ્થેલ્મોલોજિસ્ટ), ડો. ભાવેશ પટેલ (એમ. ડી. સાયક્યાટ્રીસ્ટ), ડો. બ્રિજેશ કૈલા (બી.પી.ટી., એન.સી.વી. સ્ટડી રિહેબિલિટેશન અને પેઈન મેનેજમેન્ટ), ડો. મનોજ કૈલા, (બી.ડી.એસ., ડેન્ટલ સર્જન) અને ડો. ચાંદની ખાનપરા (બી.ડી.એસ., ડેન્ટલ સર્જન)નો સમાવેશ થાય છે આ કેમ્પમાં દર્દીઓને એક્ષ-રે અને કાર્ડિયોગ્રામમાં ૫૦ %, લેબોરેટરીમાં ૨૦% અને હોસ્પિટલના બિલ પર ૧૦ % રાહત આપવામાં આવશે અને માં કાર્ડ કે આયુષ્માન કાર્ડ હેઠળ ફ્રી માં ઓપરેશન કરી આપવામાં આવશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે