મોરબી જીલ્લા પંચાયતમાં ૨૮ મીએ ખાસ સામાન્ય સભા: જુદીજુદી સમિતિઓની રચના પણ કરાશે
મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલી, રાજકીય-સામાજીક આગેવાનો ચુકયા
SHARE
મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલી અર્પણ કરાઇ, રાજકીય-સામાજીક આગેવાનો ચુક્યા
મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની દ્વારા મોરબીના શનાળા રોડે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે તેઓની ૭૩ મી પુણ્યતિથી નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે ત્યાં હાજર રહેલા બેહનો દ્વારા બે મિનિટનું મૌન રાખી શ્રધ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે સામાજિક અને રાજકીય આગેવાનો સરદાર પટેલની પુણ્યતિથિએ તેઓને યાદ કરવાનું ચૂકી ગયા હતા.તેમજ સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેઓની પ્રતિમા આસપાસ સફાઈ કરવાનું પણ તંત્રને યાદ આવ્યું ન હતું તે નરી વાસ્તવિકતા છે.