મોરબીના ગોર ખીજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત
મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા-દેવિદેવતાના ફોટો વાળી પતંગ પર પ્રતિબંધ મૂકવા માંગ
SHARE
મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા-દેવિદેવતાના ફોટો વાળી પતંગ પર પ્રતિબંધ મૂકવા માંગ
મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા કલેકટર, એસ.પી અને પાલિકા ચિફ ઓફિસરને આવેદન આપવામાં આવ્યું છે જેમાં તિરંગા-દેવિદેવતાના ફોટો વાળી પતંગ પર પ્રતિબંધ મૂકવા માંગ કરવામાં આવી છે
દર વર્ષે ઉત્તરાયણ પર પતંગ મહોત્સવને માણવા માટે લોકો રંગબેરંગી પતંગોની ખરીદી કરી આકાશમાં ઉડાડતા હોય છે. ત્યારે ઘણી બધી પતંગો કટ થવાથી આ પતંગો ગંદકી વાળી જગ્યાઓ પર તેમજ અન્ય ખુલ્લેઆમ નીચે પડેલી હોય છે. ગત વર્ષથી પતંગોની અંદર ભારત દેશનાં તિરંગા કલર વાળી પતંગો માર્કેટમાં મળેલ હતી તેમજ અશોક ચક્ર પણ તેમાં જોવા મળે છે ત્યારે આવી પતંગ ખરેખર દેશનાં તિરંગાનુ અપમાન કરે છે જેથી કરીને ક્રાંતિકારી સેના દ્વારા આનો વિરોધ કરેલ છે અને તિરંગા-દેવિદેવતાના ફોટો વાળી પતંગ પર પ્રતિબંધ મૂકવા માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, ગત વર્ષે ઘણા સમજદાર અધિકારીઓ તેમજ દુકાનદારોએ સહયોગ આપેલ હતો પરંતુ ખરેખર આવી પતંગોનું નિર્માણ ન થાય એ ખૂબ જરૂરી છે. જેથી દેશનાં રાષ્ટ્રધ્વજ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં અપમાન ન થાય તે માટે આવી પતંગો બનાવવા પર સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરી છે