મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં કૈલા પરિવાર-ટંકારાના કોઠારિયા-સખપર ગામે બારૈયા પરિવારના સ્નેહમિલનનું આયોજન


SHARE









મોરબીમાં કૈલા પરિવાર-ટંકારાના કોઠારિયા-સખપર ગામે બારૈયા પરિવારના સ્નેહમિલનનું આયોજન

ટંકારાના કોઠારિયા-સખપર ગામે સુરાપુરા શ્રી ખોડાબાપાનું સ્થાનક આવેલ છે ત્યાં કડવા પાટીદાર બારૈયા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે મહેન્દ્રનગર પાસે આવેલ રામવાડી ખાતે કૈલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે

કડવા પાટીદાર બારૈયા પરિવારનું સ્નેહમિલન
ટંકારાના કોઠારિયા-સખપર ગામે સુરાપુરા શ્રી ખોડાબાપાનું સ્થાનક ખાતે શ્રી કડવા પાટીદાર બારૈયા પરિવાર દ્વારા તા. ૨૪ ને રવિવારે ૧૯ માં સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાત્રીના ૯ કલાકે લોકડાયરો પણ રાખવામા આવેલ છે ત્યારે લોક ડાયરાના કાર્યક્રમમાં ભજનિક સાગરદાન ગઢવી, શીતલ બારોટ ભજનની જમાવટ કરશે તેમજ હાસ્ય કલાકાર હિતેષ અંટાલાને પણ બોલાવવામાં આવ્યા છે આ સ્નેહમિલન સમારોહમાં પરિવારના સભ્યોએ સમયસર સહપરિવાર સાથે આવવા માટે સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ બારૈયા, ઉપપ્રમુખ મનહરભાઈ બારૈયા સહિતના આગેવાનોએ આમંત્રણ આપેલ છે

મોરબીમાં કૈલા પરિવારનું સ્નેહમિલન યોજાશે
મોરબી શહેરમાં કૈલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે રમતોત્સવ અને ઈનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ તા. ૨૫ ને સોમવારના રોજ મહેન્દ્રનગર પાસે આવેલ રામવાડી ખાતે રાખવામા આવેલ છે ત્યારે બપોરે ૨ થી ૪ સુધી બાળકો માટે જુદીજુદી રમત-ગમતનું આયોજન કરેલ છે ત્યાર બાદ બપોરે ૪ થી ૪:૩૦ આશીર્વચન,  તેજસ્વીતા સન્માન, રાસ ગરબા અને અંતમાં સ્વરૂચી ભોજન રાખવામા આવેલ છે આ કાર્યક્રમની વધુ માહિતી માટે દિનેશભાઇ (૯૭૩૭૫ ૦૨૨૨૨), અમિતભાઇ (૯૯૭૪૪ ૨૨૨૦૦) નો સંપર્ક કરવા જણાવ્યુ છે 






Latest News