હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કૈલા પરિવાર-ટંકારાના કોઠારિયા-સખપર ગામે બારૈયા પરિવારના સ્નેહમિલનનું આયોજન


SHARE













મોરબીમાં કૈલા પરિવાર-ટંકારાના કોઠારિયા-સખપર ગામે બારૈયા પરિવારના સ્નેહમિલનનું આયોજન

ટંકારાના કોઠારિયા-સખપર ગામે સુરાપુરા શ્રી ખોડાબાપાનું સ્થાનક આવેલ છે ત્યાં કડવા પાટીદાર બારૈયા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે મહેન્દ્રનગર પાસે આવેલ રામવાડી ખાતે કૈલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે

કડવા પાટીદાર બારૈયા પરિવારનું સ્નેહમિલન
ટંકારાના કોઠારિયા-સખપર ગામે સુરાપુરા શ્રી ખોડાબાપાનું સ્થાનક ખાતે શ્રી કડવા પાટીદાર બારૈયા પરિવાર દ્વારા તા. ૨૪ ને રવિવારે ૧૯ માં સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાત્રીના ૯ કલાકે લોકડાયરો પણ રાખવામા આવેલ છે ત્યારે લોક ડાયરાના કાર્યક્રમમાં ભજનિક સાગરદાન ગઢવી, શીતલ બારોટ ભજનની જમાવટ કરશે તેમજ હાસ્ય કલાકાર હિતેષ અંટાલાને પણ બોલાવવામાં આવ્યા છે આ સ્નેહમિલન સમારોહમાં પરિવારના સભ્યોએ સમયસર સહપરિવાર સાથે આવવા માટે સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ બારૈયા, ઉપપ્રમુખ મનહરભાઈ બારૈયા સહિતના આગેવાનોએ આમંત્રણ આપેલ છે

મોરબીમાં કૈલા પરિવારનું સ્નેહમિલન યોજાશે
મોરબી શહેરમાં કૈલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે રમતોત્સવ અને ઈનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ તા. ૨૫ ને સોમવારના રોજ મહેન્દ્રનગર પાસે આવેલ રામવાડી ખાતે રાખવામા આવેલ છે ત્યારે બપોરે ૨ થી ૪ સુધી બાળકો માટે જુદીજુદી રમત-ગમતનું આયોજન કરેલ છે ત્યાર બાદ બપોરે ૪ થી ૪:૩૦ આશીર્વચન,  તેજસ્વીતા સન્માન, રાસ ગરબા અને અંતમાં સ્વરૂચી ભોજન રાખવામા આવેલ છે આ કાર્યક્રમની વધુ માહિતી માટે દિનેશભાઇ (૯૭૩૭૫ ૦૨૨૨૨), અમિતભાઇ (૯૯૭૪૪ ૨૨૨૦૦) નો સંપર્ક કરવા જણાવ્યુ છે 






Latest News