મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન કેન્દ્ર દ્વારા સાઇક્લોફન-૨૦૨૪ નું આયોજન


SHARE













મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન કેન્દ્ર દ્વારા સાઇક્લોફન-૨૦૨૪ નું આયોજન

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન કેન્દ્ર દ્વારા સાઇક્લોફન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે તેને હાલમાં રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે અને હાલમાં તેના માટે જુદા જુદા સાત સ્થળો ઉપર રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે અને આ સાયકલો ફનનો કાર્યક્રમ આગામી તા.૭ ને રવિવારે યોજાશે

સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર સંચાલિત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા સાયકલો ફન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૭ જાન્યુઆરીના રોજ મોરબી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી ૨૦ કિલોમીટર, ૧૦ કિલોમીટર અને ૫ કિલોમીટર આમ જુદી-જુદી ત્રણ કેટેગરીમાં સાયકલો ફનનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે રજીસ્ટ્રેશન કરવાની કામગીરી ચાલુ છે અને આગામી તા. ૨૯/૧૨ સુધી રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ રહેવાની છે અને આ સાયકલો ફનના કાર્યક્રમ માટે થઈને ક્વીન્સ કેક-વસંત પ્લોટ સનાળા રોડ મોરબી, મે. ગણેશ સિમેન્ટ-જીઆઇડીસી મેઇન રોડ મોરબી, ફિજિયોફીટ- વોડાફોન સ્ટોરની ઉપર મોરબી, વન-અપ ટેલી કોમ-ઓમ શોપિંગ મોરબી, ઇન્ડિયા હેર સલૂન-બાપાસીતારામ ચોક મોરબી, અરિહંત સુપર મોલ-માધવ કોમ્પ્લેક્સ મોરબી અને સેલ્યુલર વર્લ્ડ-ઓમ શાંતિ કોમ્પ્લેક્સ મોરબી ખાતે રજીસ્ટ્રેશનનું કામ ચાલી રહ્યું છે આ સાયકલો ફનના કાર્યક્રમમાં જોડાનારને ફ્રી ટીશર્ટ અને કેપ આપવામાં આવશે તેમજ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હરીશભાઈ શેઠ, ડો. પરાગભાઈ પારેખ અને તેજસભાઈ બારા અને તેઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે






Latest News