આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન કેન્દ્ર દ્વારા સાઇક્લોફન-૨૦૨૪ નું આયોજન


SHARE













મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન કેન્દ્ર દ્વારા સાઇક્લોફન-૨૦૨૪ નું આયોજન

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન કેન્દ્ર દ્વારા સાઇક્લોફન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે તેને હાલમાં રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે અને હાલમાં તેના માટે જુદા જુદા સાત સ્થળો ઉપર રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે અને આ સાયકલો ફનનો કાર્યક્રમ આગામી તા.૭ ને રવિવારે યોજાશે

સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર સંચાલિત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા સાયકલો ફન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૭ જાન્યુઆરીના રોજ મોરબી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી ૨૦ કિલોમીટર, ૧૦ કિલોમીટર અને ૫ કિલોમીટર આમ જુદી-જુદી ત્રણ કેટેગરીમાં સાયકલો ફનનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે રજીસ્ટ્રેશન કરવાની કામગીરી ચાલુ છે અને આગામી તા. ૨૯/૧૨ સુધી રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ રહેવાની છે અને આ સાયકલો ફનના કાર્યક્રમ માટે થઈને ક્વીન્સ કેક-વસંત પ્લોટ સનાળા રોડ મોરબી, મે. ગણેશ સિમેન્ટ-જીઆઇડીસી મેઇન રોડ મોરબી, ફિજિયોફીટ- વોડાફોન સ્ટોરની ઉપર મોરબી, વન-અપ ટેલી કોમ-ઓમ શોપિંગ મોરબી, ઇન્ડિયા હેર સલૂન-બાપાસીતારામ ચોક મોરબી, અરિહંત સુપર મોલ-માધવ કોમ્પ્લેક્સ મોરબી અને સેલ્યુલર વર્લ્ડ-ઓમ શાંતિ કોમ્પ્લેક્સ મોરબી ખાતે રજીસ્ટ્રેશનનું કામ ચાલી રહ્યું છે આ સાયકલો ફનના કાર્યક્રમમાં જોડાનારને ફ્રી ટીશર્ટ અને કેપ આપવામાં આવશે તેમજ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હરીશભાઈ શેઠ, ડો. પરાગભાઈ પારેખ અને તેજસભાઈ બારા અને તેઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે






Latest News