મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન કેન્દ્ર દ્વારા સાઇક્લોફન-૨૦૨૪ નું આયોજન


SHARE







મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન કેન્દ્ર દ્વારા સાઇક્લોફન-૨૦૨૪ નું આયોજન

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન કેન્દ્ર દ્વારા સાઇક્લોફન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે તેને હાલમાં રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે અને હાલમાં તેના માટે જુદા જુદા સાત સ્થળો ઉપર રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે અને આ સાયકલો ફનનો કાર્યક્રમ આગામી તા.૭ ને રવિવારે યોજાશે

સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર સંચાલિત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા સાયકલો ફન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૭ જાન્યુઆરીના રોજ મોરબી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી ૨૦ કિલોમીટર, ૧૦ કિલોમીટર અને ૫ કિલોમીટર આમ જુદી-જુદી ત્રણ કેટેગરીમાં સાયકલો ફનનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે રજીસ્ટ્રેશન કરવાની કામગીરી ચાલુ છે અને આગામી તા. ૨૯/૧૨ સુધી રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ રહેવાની છે અને આ સાયકલો ફનના કાર્યક્રમ માટે થઈને ક્વીન્સ કેક-વસંત પ્લોટ સનાળા રોડ મોરબી, મે. ગણેશ સિમેન્ટ-જીઆઇડીસી મેઇન રોડ મોરબી, ફિજિયોફીટ- વોડાફોન સ્ટોરની ઉપર મોરબી, વન-અપ ટેલી કોમ-ઓમ શોપિંગ મોરબી, ઇન્ડિયા હેર સલૂન-બાપાસીતારામ ચોક મોરબી, અરિહંત સુપર મોલ-માધવ કોમ્પ્લેક્સ મોરબી અને સેલ્યુલર વર્લ્ડ-ઓમ શાંતિ કોમ્પ્લેક્સ મોરબી ખાતે રજીસ્ટ્રેશનનું કામ ચાલી રહ્યું છે આ સાયકલો ફનના કાર્યક્રમમાં જોડાનારને ફ્રી ટીશર્ટ અને કેપ આપવામાં આવશે તેમજ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હરીશભાઈ શેઠ, ડો. પરાગભાઈ પારેખ અને તેજસભાઈ બારા અને તેઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે






Latest News