મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરાઈ પાસેથી સબસીડી ખાતરની ૬૮૬ બેગ ભરેલ ટ્રક ઝડપાયો: બે વેપારી સહિત ચાર સામે ફરિયાદ


SHARE







માળીયા (મી)ના ખીરાઈ પાસેથી સબસીડી ખાતરની ૬૮૬ બેગ ભરેલ ટ્રક ઝડપાયો: બે વેપારી સહિત ચાર સામે ફરિયાદ

સબસીડી વાળા રાસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયાનો ખેતીમાં ઉપયોગ કરવાનો હોય છે પરંતુ ઘણી જગ્યાએ આ સબસીડી વાળા રાસાયણીક ખાતરનો ઓદ્યોગીક ઉપયોગ કરવામાં આવતો હોવાનું અગાઉ સામે આવ્યું છે તેવામાં થોડા મહિના પહેલા જીએસટી વિભાગની ટીમે માળિયા (મી) કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ખીરઇ ગામના પાટીયા પાસેથી ખાતર ભરેલ એક ટ્રકને પકડ્યો હતો અને ત્યાર બાદ ખેતીવાડી વિભાગના અધિકારીને જાણ કરી હતી અને ખાતરના સ્મેપલ લેવામાં આવેલ હતા અને તેના ટેસ્ટિંગમાં આ સબસીડી વાળું નિમકોટેડ ખાતર હોવાની સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં ટ્રકના માલિક, ટ્રકના ડ્રાઈવર અને અમદાવાદ તેમજ ગાંધીધામના બે વેપારી આમ કુલ મળીને ચાર શખ્સોની સામે અધિકારી ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરની ઉમા ટાઉનશીપ ખાતે અંજલિ હોમ્સ-એ બ્લોક નંબર ૪૦૧ માં રહેતા અને નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કચેરીમાં ખેતી અધિકારી તરીકે ફરજ બજાવતા તરંગભાઈ અશોકભાઈ ફળદુ જાતે પટેલ (૨૮)માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ડ્રાઇવર મહેશભાઈ વિરમભાઈ મેવાડા રહે. ૫૯૫ ભરવાડવાસ વલભીપુર જિલ્લો ભાવનગર, ટ્રકના માલિક પદુભા રહે. ગાંધીધામ, અમદાવાદના વેપારી શ્રી કટારીયા એન્ટરપ્રાઇઝ અને ગાંધીધામના વેપારી શ્રી મે. બ્લુ ડાયમંડ એ ડબલ્યુ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ ખીરાઇ ગામના પાટીયા પાસેથી ટ્રક નંબર જીજે ૧૨ બીબી ૧૬૩૬ પસાર થઈ રહ્યો હતો જેને જીએસટી વિભાગના અધિકારી દ્વારા રોકવામાં આવ્યો હતો અને તે ટ્રકની અંદર ખાતરનો જથ્થો ભર્યો હતો અને તેમાં ખાતરની ૬૮૬ બેગ ભરેલ હતી જેથી કરીને તે અંગેની જાણ ખેતી અધિકારીને કરવામાં આવી હતી ત્યારે અંદાજે ખાતરનો ૧.૮૨ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો

ત્યાર બાદ ખેતી અધિકારી દ્વારા સ્થળ ઉપર જઈને ટ્રકમાં ભરેલા ખાતરના જથ્થાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલને ચકાસણી માટે ખાતર ચકાસણી પ્રયોગશાળા જુનાગઢ ખાતે મોકલવામાં આવ્યું હતું અને તેના રિપોર્ટમાં ટ્રકમાં ભરેલ ખાતરનો જથ્થો સબસીડી વાળા રાસાયણિક ખાતર નીમકોટેડ યુરિયાનો હોવાનું સામે આવ્યું હતું અને રાસાયણિક ખાતર નીમકોટેડ યુરિયાનો ખેતીમાં વપરાશ કરવાના બદલે ઔદ્યોગિક હેતુમાં ઉપયોગ કરવા માટે થઈને સબસીડી વાળા ખાતરને અન્ય બેગમાં ભરીને તેની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં ખેતી અધિકારી દ્વારા બે વેપારીઓ અને ટ્રક ડ્રાઇવર તથા ટ્રકના માલિક આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ખાતર નિયંત્રણ હુકમ ૧૯૮૫ ના ખંડ૨૫(૧) ની જોગવાઈઓના ભંગ બદલ આવશ્યક ચીજ વસ્તુ ધારા ૧૯૫૫ ની કલમ ૩ નો ભંગ થવાથી તે જ કાયદાની કલમ ૭(૧)(એ)(૨) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News